________________
૩૯૪ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો ધર્મિષ્ઠ છે. તપશ્ચર્યા કરી છે. તીર્થયાત્રા તે લગભગ તમામ તીર્થોની કરી છે. સરળ, ભદ્રિક, નિખાલસ અને ધર્મિષ્ઠ. ધર્મના રંગે રંગાયેલાં ધર્મના કેઈપણ પ્રસંગમાં હંમેશાં તન, મન અને ધનથી ઓતપ્રેત બનીને કામ કરનારા, આનંદની મસ્તીમાં રહેનારા એટલે રતનચંદભાઈ. તેઓને ૩ પુત્ર, ૪ પુત્રીઓ, પૌત્રો ઈત્યાદિ વિશાળ સંસ્કારી કુટુંબ છે. પિતે સારું કે જીવન ધર્મધ્યાનમાં વિતાવે છે અને આનંદથી જીવી રહ્યા છે. પૂ. આચાર્ય મહારાજશ્રીની પ્રેરણાથી તેમના ગુરુ ઉદયસૂરિદાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કૃષ્ણનગર દેરાસરની બે દેરીમાં પ્રતિષ્ઠિત કરી છે.
શ્રી રતિલાલ સુંદરજી શાહ સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં અગ્રિમ હરોળના કાર્યકર્તાઓમાંના એક શ્રી રતિલાલભાઈ અમરેલી વિભાગમાં વિવિધ સંસ્થાઓના સૂત્રધાર બનીને આજે પણ સુંદર સેવા આપી રહ્યા છે.
વર્ષો પહેલાં વડેદરા રાજ્યના અમરેલી પ્રાંત પ્રજામંડળના મંત્રી તરીકે અને અમરેલી જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે યશસ્વી સેવા આપી.
વડોદરા રાજ્યની વેચાણવેરાની લડતમાં તથા શિક્ષકના પ્રશ્નો માટે તેમની સાથે રહીને લડત આપી. ૧૯૪૨ની સત્યાગ્રહની લડતમાં અશ્ચિમ ભાગ લીધે. અમરેલી સમર્થ વ્યાયામ મંદિર, સાર્વજનિક પુસ્તકાલય, બીડી કામદાર મંડળ, બસના કામદાર, વેપારી પેઢીઓમાં કામ કરતા નાનાં યુનિયને સ્થાપ્યાં અને પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે કામ કર્યું.
અમરેલી જિલ્લા મધ્યસ્થ સંઘના ડિરેકટર તરીકે, હોમ ગઝ કમિટીના સભ્ય તરીકે, કમાણી ફેરવર્ડ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે, રચનાત્મક ગૃહ ઉદ્યોગ અને અન્ય મહિલા વિકાસની પ્રવૃત્તિઓમાં રસ લીધે અમરેલીમાં અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની
સ્થાપના કરી અને તેના પ્રમુખ તરીકે યશસ્વી સેવા આજ સુધી આપતા રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org