________________
અભિવાદનગ્રંથ !
[ ૩૯૩ શ્રી રતનચંદ ઓઘડભાઈ શ્રી રતનચંદભાઈને જન્મ પાલીતાણા પાસે ઘેટી નામના નાના ગામડામાં તા. ૨૨-૨-૧૯૦૦ના મંગળ દિવસે થયે હોતે, એટલે અત્યારે ૯૧મું વર્ષ ચાલે છે. પરંતુ આંકડાને ઉલટાવી નાખીએ તે ૧૯ વર્ષની યુવાની જેવું જેમ અને તંદુરસ્તી ધરાવે છે. દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્તી જળવાઈ રહેવી તે પૂર્વે જીવદયા પાળી હોય તેની નિશાની છે. નોકરીમાંથી છૂટા થયા પછી શેરબજારમાં સ્વતંત્ર ધંધો કરતા હતા. મેટા પાયા ઉપર બટનને ધંધે ચાલે છે. મધ્યમ સ્થિતિ હોવા છતાં ધર્મને માગે બે પૈસા વાપરી ઉદારતાપૂર્વક દરેક ક્ષેત્રમાં યથાશક્તિ વાપરતા જ રહે છે. સંવત ૨૦૧૭માં ઘેટી ગામમાં દેરાસરની પ્રતિષ્ઠા કરવાની હતી. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ૧૦૦૮ શ્રી ઉદયસૂરીશ્વરજી મ.સા. પધાર્યા હતા. આચાર્ય મહારાજની પ્રેરણું થઈ ને રતનચંદભાઈની ભાવના જાગૃત બની. મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રાચીન અલૌકિક પ્રતિમાજીને સંવત ૨૦૧૭ના વૈશાખ સુદ ૧પના મંગળ પ્રભાતે ગાદીનશીન કરી. ધામધૂમથી પ્રતિષ્ઠા કરીને મહાન લાભ પ્રાપ્ત કર્યો. પ્રતિવર્ષ સાલગિરિ પણ ધામધૂમથી ઊજવે છે. સંવત ૨૦૩૬માં સગાંસંબંધી કુટુંબીજને સર્વને યાત્રા કરવાની ભાવના જાગી અને માગસર વદ ૭ના રોજ મુંબઈ તેમ જ દેશમાંથી સર્વને અમદાવાદથી ૩ બસ કરી ઉપરિયાળી, સેરીસા, પાનસર, ભયણી, મહુડી, મહેસાણા, તારંગા, શંખેશ્વર, વાલમ ઇત્યાદિ ૧૧ તીર્થોની યાત્રાના સંઘનો લાભ લીધું હતું. બેરીવલી જાંબલી ગલીમાં લગભગ ૧૬ લાખના ખર્ચે એક વિશાળ ઉપાશ્રય ત્યાંના સંઘે બંધાવ્યું. એ વિશાળ વ્યાખ્યાન હાલનું નામ શ્રેષ્ઠીવર્ય શ્રી રતનચંદ ઓઘડભાઈ હેલ નામ રાખવામાં આવ્યું છે. જો કે બીજી રકમ પણ ઉપાશ્રયમાં ભાવપૂર્વક ભેટ આપી છે. ઉદ્દઘાટન, શ્રી સિદ્ધચકપૂજન તથા જમણવાર વગેરે કાર્યો પ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજીની નિશ્રામાં જ થયાં હતાં. શ્રી રતનચંદભાઈની અનેક પ્રકારની સેવા છે. જ્ઞાતિની સેવામાં ભારે રસ લે છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી જેકુરબેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org