________________
૩૯૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી રસિકલાલભાઈને જન્મ ધ્રાંગધ્રા તાલુકાના ઝીંઝુવાડા ગામમાં થયું હતું. તેઓએ અભ્યાસ ધ્રાંગધ્રાની સર અજીતસિંહ હાઈસ્કૂલમાં કરેલ. તેમની વ્યાપાર પ્રત્યેની ઝંખના, આર્થિક રીતે સદ્ધર થયા પછી સેવાનાં કાર્યો નિશ્ચિત રીતે સ્થિર કરી શકાય તેવી ગણતરીથી મુંબઈ આવી ઇલેક્ટ્રિક બજારમાં સ્થિર થયા.
ઇલેકિટ્રક મરચન્ટ એસોસિયેશન તથા શ્રી બ્રધરહુડ સોસાયટી, ધ્રાંગધ્રા જિલ્લા સોશ્યલ ગૃપ તેમ જ ઝાલાવાડ મૂ. જૈન સંઘના સેક્રેટરી તરીકેની ફરજ બજાવે છે અને બીજી અનેક નાની-મેટી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલ છે.
સુરતની પ્રલયકારી રેલ વખતે રાહતના કાર્યમાં તન-મન અને ધનથી ખૂબ કાર્ય કર્યું હતું. રાજકીય ક્ષેત્રમાં પણ રસ લે છે. “સી” વર્ડમાં એઓશ્રી ખૂબ જાણીતા છે. જનતા જનાર્દનની સેવામાં તેઓ સદા જાગૃત છે. તેઓ જનહિતના કાર્યમાં આગળ આવતા રહે અને દિન-પ્રતિદિન તેઓ ઉન્નતિને આરે પહોંચે એ જ અભ્યર્થના.
શ્રી રતિલાલ મલુકચંદ ભણશાલી પાલનપુરવાસીઓએ ઝવેરાતને ધ વિકસાવવામાં પિતાની બુદ્ધિપ્રતિભા અને દીર્ધદષ્ટિનાં ખરેખર દર્શન કરાવ્યાં છે. ઝવેરાતના ધંધામાં પડેલા શ્રી રતિભાઈ પણ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની. પાલનપુરમાં તેમના પિતાશ્રીને કરિયાણાને વ્યાપાર અને તે વખતે નવાબ સાથેના સંબંધે ઘણા જ સારા – મહાજન તરીકે તેમના પરિવારનું રાજ્યમાં સારું એવું માનપાન પણ પછી ચારેક દાયકા પહેલાં મુંબઈમાં તેમનું આગમન થયું અને ડાયમન્ડના ધંધામાં સારી પ્રગતિ કરી. તેમના બંધુ યુરોપમાં અભ્યાસાર્થે ગયેલા–જેઓએ ડે ભણશાલી તરીકે પછી મુંબઈમાં સારી નામના મેળવી. ડે. ભણશાલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ ચાલે છે. મુંબઈની હરકસન હેસ્પિટલમાં ડોકટરના નામનું કિડની ડાયાલિસીસ યુનિટ ચાલે છે. આમ સમાજમાંથી ભારે મેટી રકમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org