________________
અભિવાદન ]
[ ૩૮૯ અશક્યની ભાવનાને મિટાવી સંકલ્પ પર અટલ રહેવાનું મનબળ માણસ જે કેળવી શકે તે સિદ્ધિ માણસને શેધતી આવે છે – એવા યથાર્થની પ્રતીતિ એટલે આપણે શ્રી રમેશચંદ્રભાઈ દલાલ.
વિશાળ કેમિકલ પ્રેસ પ્લાન્ટ્સ અને ફર્ટીલાઈઝર પ્લાન્ટન નિર્માણ માટે ભારતને વિશ્વના અન્ય દેશને સહગ પ્રાપ્ત કરે પડે છે. એ દિશામાં મંગલાચરણ કરીને ભારતની સંખ્યાબંધ કંપનીઓમાં મેસર્સ દલાલ કન્સલ્ટન્ટ્સ એન્ડ એંજિનિયર્સ પ્રા. લિ.ને અગ્રસ્થાને સ્થાપિત કરીને દેશવિદેશમાં શ્રી રમેશચંદ્રભાઈને યશકલગી મળી અને ખ્યાતિ પામ્યા.
આધુનિક ટેકનોલોજીકલ પ્રવાહને ઓળખવાની અને સમજવાની તેમની કુશાગ્ર બુદ્ધિશક્તિ રાષ્ટ્રીય અર્થકારણની વૃદ્ધિ અને સમૃદ્ધિમાં દીર્ઘ સમય સુધી સક્રિય પ્રદાન આપ્યા કરે તેવી આપણે પ્રાર્થના કરીએ.
ધંધાના વિકાસની સાથે આર્ય સંસ્કૃતિના ચાહક શ્રી રમેશચંદ્રભાઈ દલાલ સમાજની અનેકવિધ સેવા-વિષયક પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય સાગ અને પ્રત્સાહન આપી પોતાની ફરજ અદા કરવા હમેશા તત્પર રહ્યા છે.
ખરેખર સમાજને ગૌરવ અપાવે તેવું તેમનું વિનમ્ર જીવન અને વ્યક્તિત્વ છે.
શ્રી રસિકલાલ ભૂદરશીભાઈ શાહ (S.E.M)
વેપારી આલમમાં તેમ જ સામાજિક ક્ષેત્રે વિવિધ સેવાની કદર કરી શ્રી મહારાષ્ટ્ર સરકારે સ્પેશ્યલ એકઝકયુટિવ મેજિસ્ટ્રેટને ઈલ્કાબ એનાયત કરી બહુમાન કર્યું છે તે બદલ તેઓ યોગ્ય છે.
શાંત અને નિખાલસ સ્વભાવથી વેપારમાં સારી સફળતા પ્રાપ્ત કરી સૌરાષ્ટ્ર ઈલેક્ટ્રિક ઈકવીપમેન્ટ કું.માં ભાગીદારી સાથે સારી પ્રગતિ સાધી છે. સામાજિક ક્ષેત્રે અનેક સંસ્થાઓ સાથે સંકળાઈને લેકેની ખૂબ ચાહના મેળવી છે. છે. ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org