________________
આભવાદનગ્રંથ ] '
[ ૩૯૧ એકઠી કરીને આ કામને માટે આપેલ છે. શ્રી રતિભાઈ પિોતે મૂંગી સેવાની ભાવનાવાળા. શિયાળામાં ગરીબ માણસેને ધાબળા ઓઢાડવાનું પાયાનું કામ–સંજીવની ટ્રસ્ટ દ્વારા કપડાં એકઠાં કરી દુકાળ પીડિતોને પહોંચાડવામાં સક્રિય રસ લેતા રહ્યા છે. આખું આફ્રિકા ફરી વળ્યા છે. ભારતમાં બધે જ ફર્યા છે. મુંબઈમાં દરિયામહેલ જૈન મંડળમાં પાઠશાળાનું સંચાલન વ્યવસ્થિત રીતે ચાલે તેમાં પૂરે રસ દાખવે છે. માનવસેવાની ધગશવાળા શ્રી રતિભાઈ ખૂબ જ ગુલાબી સ્વભાવના છે.
સ્વ. શ્રી રતિલાલ બેચરદાસ મહેતા માનવીને જીવનનું મૂલ્ય તેની પાસે કેટલી સંપત્તિ છેતેના ઉપરથી નહીં પણ તેમણે દાનધર્મને ક્ષેત્રે શું ગદાન આપ્યું, સમાજ અને શાસનસેવાના કામમાં તેમનું પ્રદાન કેવા પ્રકારનું રહ્યું તેને ઉપરથી જ માનવીના જીવનની ફલશ્રુતિને અંદાજ આવે છે. - સૌરાષ્ટ્રના સાહસિક શ્રેણીઓ વતન છોડીને જ્યાં જ્યાં ગયા છે ત્યાં તેમણે અદ્ભુત વિકાસ સાધ્યો છે. સૌરાષ્ટ્રમાં સિહોર પાસે દુદાણાના વતની અને તળાજાના રહેવાસી શ્રી રતિભાઈ મહેતાને ચાર વર્ષની કુમળી વયે મુંબઈ આવવાનું થયું. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં જ લીધું–બે અંગ્રેજી સુધીનો અભ્યાસ કર્યો–ન કર્યો ત્યાં તે કૌટુંબિક વિષમ જવાબદારીઓ પિતાના શિરે આવી પડી. હૈયામાં કેળવણીની ઝંખના હોવા છતાં આર્થિક સંજોગોએ તેમને આગળ અભ્યાસ માટે આડશ બાંધી દીધી. કાચા અભ્યાસે વ્યવસાયમાં ઝંપલાવ્યું. નાનીમેટ અનેક ધંધાદારી લાઈનને અનુભવ કરી લીધું. ચડતી પડતીના દિવસો પણ જોયા. હિંમત અને સાહસની એકમાત્ર મૂડી સાથે નિરાશ થયા વગર પુરુષાર્થ કયે રાખે.
ધીરજ અને નિષ્ઠાનું એ પરિણામ આવ્યું કે થોડા સમયમાં જ ૨૦૦૮માં શ્રી જન આદર્શ દુગ્ધાલયની સ્થાપના કરી. શ્રીખંડ અને આઇસક્રીમ માટે મુંબઈમાં તેમનું નામ ગાજતું થયું. સ્વબળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org