SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૩૮૭ શ્રી રમણીકલાલ માવજીભાઈ કનાડીયા પ૬ વર્ષની ઉંમરને શ્રી રમણીકલાલ માવજીભાઈ કનાડીયા મૂળ ભાવનગર જિલ્લાના તણસા ગામના વતની છે. એમને જન્મ મુંબઈમાં થયે. એમના પિતાશ્રી બાર વર્ષે મુંબઈ આવ્યા હતા અને સર્વિસ કરી. શ્રી રમણીકલાલભાઈએ પણ સોળ વર્ષની ઉંમરે દોરા-દડીની, કાપડની મુકાદમી લાઈનમાં નેકરી કરી બહેળો અનુભવ મેળવ્યું અને ૧૯૪૮માં ભાગીદારીમાં અને પછી ૧૯૫૬માં સ્વતંત્ર રીતે ધંધો શરૂ કર્યો. શિપિંગ લાઈનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી. ૨૦૦૭માં એમના પૂજ્ય પિતાશ્રીને સ્વર્ગવાસ થયે. ૨૦૦૮માં એમણે લગ્ન કર્યા. રાજકીય ક્ષેત્રે જનતા પક્ષની ચૂંટણીઓમાં સક્રિય રહ્યા. ૨૦૨૫માં ઘોઘારી જૈન સેવા સમાજ સંસ્થા ચાલતી હતી, તેમાં સેક્રેટરી તરીકેની પ્રશસ્ય કામગીરી બજાવી. તેમની અંડરમાં સિલ્વર જ્યુબિલી ઊજવી. ૨૦૨માં પ્રિન્સેસ સ્ટ્રીટ લુહાર ચાલ જૈન સંઘમાં સેક્રેટરી તરીકે રહ્યા. તેમણે મુંબઈથી પ્રથમ સમેતશિખરની– કાશ્મીર સાથે યાત્રા કરી. આ ઉપરાંત શ્રી વિજયવલ્લભસૂરિ મ. સા.ની શતાબ્દી કમિટીમાં પણ સભ્ય હતા. ઘારી વીશા શ્રીમાળી જ્ઞાતિની કમિટીમાં પણ હતા. તેઓ તાલધ્વજ કમિટીમાં પણ છે. તણસા હોસ્પિટલ બનાવી ત્યારે પોતે મુંબઈથી ફંડ કરેલ. યુવાન વયથી જ પિતાના આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને પ્રગતિના પંથે આગેકૂચ કરનાર શ્રી રમણીકભાઈની સમગ્ર પ્રવૃત્તિઓ ઉપર એક ઊડતો દષ્ટિપાત કરીએ તે પરંપરાપ્રાપ્ત સંસ્કાર અને ભૂમિની સંસ્કૃતિના સવને સહજપણે પચાવીને તેઓશ્રીએ પિતાનું હીર અને મીર પ્રગટ કરી બતાવ્યું છે. સંવત ૨૦૩૦માં વલસાડથી સમેતશિખરની સ્પેશ્યલ યાત્રા ટ્રેઈનનું આયોજન કરાવી આપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy