SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ ] || આપણું શ્રેષ્ઠીવર્યો જે પગદંડી ઊભી કરી એ જ રાહ અને એ જ વારસાને તેમના પુત્રોએ જાળવી રાખે છે. પૂ. ધીરજબેન વિશાળ પરિવારને સાથે રાખી માંગલિક ધર્મનાં રૂડાં કાર્યોમાં વ્યસ્ત છે. છેલ્લા બે દાયકાથી ગિરિરાજ શ્રી સિદ્ધાચલજીની શીતલ છાયામાં વર્ષમાં એકાદ-બે વખત આવીને સ્થિરતા કરી સુપાત્ર દાન તેમ જ તીર્થભક્તિને અપૂર્વ લ્હાવો લઈ રહ્યાં છે. સિત્તેર માણસના વિશાળ પરિવારને વિશ્વાસ સંપાદન કરીને સૌના પ્રીતિપાત્ર બનેલાં પૂ. ધીરજબેને સૌને જેસલમેરની યાત્રા કરાવી. સાધર્મિક ભક્તિ, જીવદયા, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા, ભોજનશાળા, પૂ. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ આદિ કાર્યોમાં મુક્ત મને દાનનો પ્રવાહ વહેવરાવી ભારતીય સંસ્કૃતિ અને ધર્મના પાયારૂપ માનવતાની મધુર મહેકથી જીવન કૃતાર્થ કરતાં રહ્યાં છે. - પરિવારના ધર્મપરાયણ વાતાવરણને લીધે તેમની સુપુત્રી રમબહેને આજથી પચીસ વર્ષ પહેલાં ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરેલ. ચાર સંસ્કારી પુત્ર શ્રી ખાન્તિભાઈ શ્રી જિતુભાઈ શ્રી પ્રદીપભાઈ શ્રી હરીશભાઈ, બે પુત્રીઓ શ્રી રમાબહેન (હાલમાં સાધ્વી શ્રી યશાશ્રીજી મ.) અને, સાજબેન. ચાર પુત્રવધૂઓ, પૌત્રે વગેરે એમને પરિવાર ઘણો જ સુખી છે. ૫. ધીરજબેનને વરસીતપ અને ઉપધાન તપશ્ચર્યામાં વિશેષ રસ છે. ઘણાં વર્ષોથી બેસણું ચાલે છે. કાંઈક નાનીમેટી તપશ્ચર્યા ચાલુ જ હોય. તેમનું આ મેટું જમા પાસું છે. ખરેખર પૂજ્ય ધીરજબેને માતા-પિતા અને પરિવારના સંસ્કારને દીપાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy