________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૮૫ ગદગ (આદોની)માં નેકરીથી જીવનની કારકિદીનાં મંડાણ કર્યા. અવનવા અનુભવની સરાણે ચડ્યા પણ પછી ફરી મુંબઈ આવવાનું બન્યું. ફાયર એકટીંગવિશરને ધંધો શરૂ કર્યો અને સમય જતાં એક વિશાળ ફેકટરીના માલિક બન્યા.
બચપણથી જ અલબેલાં અરમાનો અને પ્રબળ પુરુષાર્થ વડે જીવનને કુટુંબને સંગીન સ્થિતિમાં મૂકતા રહ્યા. ધર્મ પરત્વેની શ્રદ્ધા-ભક્તિ પણ એટલાં જ અણનમ રહ્યાં. દઢ મને બળ અને ગજબની તેમની. સંકલ્પશક્તિ હોવાને કારણે તેમના પુત્રપરિવારને પણ પ્રેરણા મળતી રહી.
શ્રી રતિલાલભાઈને જિનભક્તિમાં પણ સાધર્મિક ભક્તિ પરત્વે અપૂર્વ અને અનન્ય પ્રેમભાવ હતો. તેમની ધર્મભાવનાનાં સંસ્મરણે આજ જુદા જુદા સ્વરૂપે જોવા-સાંભળવા મળશે. તેમના ધર્માનુરાગી સ્વભાવને, એ ઉમદા આદર્શોને ભારે મોટું બળ આપવાનું સત્કાર્ય તેમનાં ધર્મપરાયણ ધર્મપત્ની પૂજ્ય ધીરજબહેને કર્યું.
એ કથન સાચું જ છે કે પુરુષની પ્રગતિ અને વિકાસમાં મોટું અને મહત્ત્વનું પ્રદાન તેમની અર્ધાંગનાનું જ હોય છે. આપણું માતાએ ભણેલી, કેળવાયેલી અને ધર્મ-સંસ્કારથી સંપન્ન હશે તે જ શાસન અને સમાજ ગૌરવભેર ટકી શકશે. પૂજ્ય ધીરજબેન આવા જ એક ગૌરવશાળી નારી તરીકેનું માન-સન્માન પામ્યાં છે.
શ્રી રતિલાલભાઈ તેમના છેલ્લા દિવસોમાં પણ સ્વસ્થતાપૂર્વક નમસ્કાર મહામંત્રના જાપમાં સતત લીન બની રહેતા. સમાધિ પૂર્વક નવકારમંત્રનું રટણ કરતાં કરતાં અચાનક હાર્ટ-એટેકથી કાળના વિરાટ પંજામાં તા. ૧૬/૩/૮૧ના રોજ સવારમાં ઝડપાઈ ગયા. તેમના શ્રેયાર્થે ત્રણ દિવસને જિનેન્દ્ર મહોત્સવ ભવ્ય રીતે ઊજવા. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓને મેટી રકમનું દાન અર્પણ કર્યું. સ્વ. શ્રી રતિલાલભાઈએ પરિવાર સહિત ભારતનાં બધાં જ જૈન તીર્થોની યાત્રા કરી પિતાની લહમીને સદ્વ્યય કર્યો. સ્વ. શ્રી રતિલાલભાઈએ . ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org