________________
૩૮૪ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો કરવા છતાં જગ્યા ન મળી તેથી પગભર થવાને નિર્ણય કર્યો તે દરમ્યાન ૭૨ વર્ષે બાયપાસ હાર્ટની સર્જરી કરાવવાની જરૂર ઊભી થઈ જે કરાવી અને તે કામ માટે તથા અન્ય સેવાને કામો માટે તેમનાં પત્નીએ “શ્રી જલારામ સેવા સમાજ ટ્રસ્ટ”ની
સ્થાપના કરી, જેમાં આશરે રૂા. ૫ લાખ જેવી મતબર રકમનું દાન તેમના કુટુંબ તરફથી આપી ૧૩, આશાપુરી સેસાયટી, અકોટાને બંગલે ટ્રસ્ટના નામથી લીધે, જ્યાં આજવા રોડ ઉપરના વૃદ્ધોને ઉપરની જગ્યાએ વસાવ્યા. જ્યાં હાલમાં ૮ થી ૧૦ વૃદ્ધો બધી સુવિધા ફ્રિજ, પલંગ, ગાદલા, રગ, બે ટાઈમ ભજન તથા ચા-પાણી સાથે માસિક ઓછા દરથી રહે છે. તબિયત અંગે ખાસ કાળજી પણ લેવાય છે. આમ આજે ૭૪ વર્ષની ઉંમરે પણ અન્ય વૃદ્ધોની સેવા કરવાને લાભ મળે છે. હવે બે માળ બાંધી સગવડ વધારવાની છે, જે માટે સંપૂર્ણ શ્રદ્ધા છે. આ વૃદ્ધાશ્રમ માટે જલારામ મંદિર તરફથી ખૂબ જ સહકાર છે. અને આ સંસ્થા જલારામ બાપા જ નિભાવવાના છે.
પ્રભુ ૭૪ વર્ષની ઉંમરે પણ સેવા કરવાની પ્રેરણા આપે છે અને તેમાં મદદરૂપ બને છે—જે માટે પ્રભુને જેટલે આભાર માનીએ એટલો ઓછો છે.
સ્વ. શ્રી રતિલાલ જેઠાભાઈ સલત ધર્મભાવનાના ઉમદા અને ઊંડા સંસ્કારથી વિભૂષિત ધર્મ સંપન્ન સલત પરિવારના સુપ્રસિદ્ધ સહસિક અને ધર્માનુરાગી શ્રી રતિલાલભાઈનો જન્મ ભારતની પવિત્ર ભૂમિ સિદ્ધગિરી (મોસાળ)માં થયે. આ બાળકના હૈયામાં બચપણથી જ ત્યાગવૈરાગ્યની ઉમિઓ જેમ છલકતી હતી તેમ જીવન-ઉન્નતિની દિશામાં કાંઈક કરી છૂટવાની પણ પ્રબળ તમન્ના હતી.
તળાજા અને ભાવનગરની શાળામાં પ્રાથમિક અભ્યાસ પૂરે કરીને મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ભાગ્ય અજમાવવા આંધ્રપ્રદેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org