________________
અભિવાદનગ્રંથ ]
શ્રી રમણલાલ છોટાલાલ ગાંધી
જનહિતનાં અનેક શુભ કામેામાં મનને એકાગ્ર કરી અંતરમાંથી નીકળેલ સેવાજ્યાતને ઝળહળતી રાખવા સત્કાર્યોના સર્જન માટે ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરનાર શેઠશ્રી રમણભાઈ ગાંધીને ગુજરાતમાં ઠાસરા ગામના નાગર વણિક જ્ઞાતિમાં સિદ્ધપુરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી ટાલાલભાઇના ગૃહે માતુશ્રી કમળબાની કૂખે જન્મ થયેા. (જન્મ તારીખ ૧૧-૧૧-૧૯૧૪ ). શ્રી રમણભાઈ બાલ્યકાળમાં જ સેવા–સ્વાશ્રયના પાઠ શીખ્યા. દીર્ઘદૃષ્ટિવાળા વડીલે એ તેમનું ઘડતર કર્યું અને તેથી તે તેએ શિસ્ત અને સત્યના હિમાયતી બન્યા. શુદ્ધિ અને સત્યનિષ્ઠા વિષેના કેટલાક ખ્યાલે તેમને ગળથૂથીમાંથી મળેલા. આજે તેઓ અનેકવિધ સંસ્કારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સકળાયેલા છે. ખાસ કરીને આરેાગ્યક્ષેત્રે એમનુ' પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.
[ ૩૮૧
અંડર-ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી બહુ જ કુમળી વયમાં મુશ્કેલીઓના કપરા સંજોગેાના સામનો કરી ખંત અને ધીરજથી કાંઈક પ્રગતિ કરવા મથતા રહ્યા. ૧૯૩૪માં લાહેારમાં આયાત-નિકાસનો સ્વતંત્ર પધા શરૂ કર્યાં પણ આ યુવાન હૈયાને એટલાથી સ ંતેષ ન થયા. ૧૯૩૯માં મુંબઈ આવ્યા અને એક ક્લિયરિંગ એજન્ટની પેઢીમાં મેનેજરની નેકરી સ્વીકારી જેમાં તેમણે તેમની કાર્ય દક્ષતા, નિષ્ઠાની પ્રતીતિ કરાવી. સમય જતાં ૧૯૪૬માં શ્રી રમણભાઈ એ એકસપ્રેસ ટ્રાન્સપોર્ટ લિ.ની સ્થાપના કરી, ક્લિયરિંગ એજન્ટ્સ તરીકે વ્યવસાય શરૂ કર્યો જે પેઢીએ તેમના પુરુષાર્થથી અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી. વ્યવસાયને લગતાં તેમનાં અન્ય કન્સન જેવાં કે મેસર્સ ક્રેઈન હાયરિંગ, મેસસ એક્સપ્રેસ રોડવેઝ અને મેસસ એલાઇડ શિપિંગ એન્ડ ટ્રાન્સપોટ કુ' શરૂ કર્યાં; જેની અમદાવાદ, વડેદરા, ગેાવા અને ગાંધીધામ ખાતે શાખાએ સ્થાપી. ક્રેઇન અને ટ્રેઇલર ધરાવનાર એકમાત્ર ક્લિયરિંગ એજન્ટ તરીકેનું નામ ચાગરદમ મશહૂર બન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org