________________
૩૮૨ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો ગુજરાત સ્ટેટ ફટલાઈઝર્સ કું, નર્મદા વેલી ફટલાઈઝર્સ, શ્રી રામ ફર્ટીલાઈઝર્સ–ડેટા, બીરલાનું ફટલાઈઝર્સ સંકુલ, ગુઆરી એગ્રો-કેમિકલસ લિ., ગેવાનું ક્લિયરિગ તથા ટ્રાન્સપર્ટનું કામ તેમ જ અમદાવાદમાં સેટેલાઈટ સ્ટેશન તથા એટમિક એનજીનું કામ પૂર્ણ કરવામાં તેમની પેઢીએ યશકલગી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત બારડેલી સ્યુગર ફેકટરી, કોડીનાર સ્યુગર ફેક્ટરી, બજાજ, મુકુન્દ, કેલીકો, ચેમ્બુર તેમ જ ભારત હેવી ઈલેકટ્રીકલ્સના કાર્યમાં પણ તેમની પેઢીને ફાળે ઘણો યશ જાય છે.
શ્રી રમણભાઈ એ વ્યવસાયને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ વિસ્તારી જે પાંગરીને વટવૃક્ષ બની. આ બધી જવાબદારીઓની સાથે જનસેવા અને વતન પ્રત્યેની મમતાને ક્યારેય ભૂલ્યા નથી. તેમની તીવ્ર બુદ્ધિશક્તિ, કર્તવ્યનિષ્ઠા અને ખંતભર્યો શ્રેમ કરવાની તત્પરતા વિશેષ જોવા મળી. એકસાઈભરી કુનેહ અને એક સંનિષ્ઠ સમાજસેવકમાં જોઈએ તેવી ધગશ તેમનામાં જે આજે તેઓ ઉગ્ર આસને બિરાજમાન છે, તેની પાછળ તેમની આત્મગ અને અથાક કષ્ટભર્યો શ્રમ પડેલે છે.
વતન ઠાસરાની ધિ જે. એમ. દેસાઈ હાઈસ્કૂલ, મહાલક્ષ્મી કન્યાશાળા, વિદ્યાજિક મંડળ, હોસ્પિટલ, પુસ્તકાલય, છાત્રાલય, મહિલા સેવા કેન્દ્ર, શીરડી સાંઈબાબા મંદિર, પિલીઓ હેસ્પિટલ તેમ જ આર. સી. ગાંધી વારિગૃહ, ઠાસરા–એવી અનેક સંસ્થાઓને તેમની દેણગી પ્રાપ્ત થઈ છે. સમાજસેવાનાં આ બધાં જ કામમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી નિર્મળાબહેનને સોગ હંમેશાં રહ્યા છે. શ્રીમતી નિર્મળાબહેનની સાથે શ્રી રમણભાઈ એ વિશ્વના અનેક દેશને સંસ્કાર-પ્રવાસ ખેડ્યો છે. તેમની અનેક સેવાની કદરરૂપે ઠાસરાના નાગરિકોએ ૧૯૬૮માં ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્ર દેસાઈને વરદ હસ્તે માનપત્ર એનાયત કરેલું ત્યારે ભારે મેટું બહુમાન મેળવ્યું. તેમના સુપુત્ર શ્રી વિનોદભાઈ શ્રી કિરીટ ભાઈ શ્રી અશ્વિનભાઈ આ વ્યવસાયમાં સાથે જોડાયેલા છે. ભાઈશ્રી અશ્વિનભાઈ વડોદરામાં ગુજરાતની પ્રથમ કક્ષાની પાશ્ચાત્ય ઢબની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org