________________
૩૦ ]
આપણે શ્રેષ્ઠીવર્યો કલામર્મજ્ઞ, ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત આદિજાતિ સંશાધન વિકાસ કેન્દ્રના આદિવાસી સંગ્રહાલયના વડા શ્રી હકુ શાહને “પદ્મશ્રી અને એવોર્ડ એનાયત થયે છે.
* “સાવિત્રી મહાકાવ્યના ચિંતક: ડો. અશ્વિનભાઈ કાપડિયા. ભરૂચની કેમર્સ કેલેજના પ્રાધ્યાપક ડો. અવિનભાઈ કાપડિયાને શ્રીલંકાની ઓપન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ફોર કોમ્પ્લીમેન્ટરી મેડિસીન્સ તરફથી મહર્ષિ અરવિંદના મહાકાવ્ય “સાવિત્રીના અધ્યયન બદલ ડેકટરેટની પદવી આપવામાં આવી છે. આજ સુધીમાં ડે. કાપડિયાએ “સાવિત્રી” વિશે ૧૧૯ જ્ઞાનસત્રો જ્યાં છે. ગત વર્ષે તેઓ હેલેન્ડ ખાતે મળેલ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં અધ્યક્ષપદે હતા.
* વલર્ડ બિલિયર્ડ ચેમ્પિયન : ગીત શેઠી. ઈ.સ. ૧૯૮૫માં દિલ્હી ખાતે જાયેલી પચ્ચીસમી વિશ્વ બિલિયર્ડ સ્પર્ધામાં. ચાર ચાર વાર વર્લ્ડ ચેમ્પિયન બનનાર ઓસ્ટ્રેલિયાના ૭૫ વર્ષના બિલિયર્ડબાદશાહ બેબ માર્શલને ૧૩૫૬ પિઈટ્સથી હરાવીને ચોવીસ વર્ષના ગીત શેઠીએ પ્રવેશતાં જ વિશ્વવિજેતાપદ પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત સરકારે તેમને એક લાખને પુરસ્કાર આપ્યું હતું.
* મીનાકારીમાં વિશ્વવિખ્યાત : ઈશ્વરલાલ દયારામ પેટીગરા. સુખડમાં બારીક નકશીકામ કરનાર શ્રી પેટીગરા સુરતમાં રહેવા છતાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. સુખડ ઉપરાંત હાથીદાંત, સાબરશીગ, સીસમ આદિમાં પણ તેઓ કુશળ કારીગરી કરી શકે છે. ગુજરાત સરકારે તેમને કલાકાર તરીકે સન્માન્યા છે.
* તેજસ્વી સંશોધક-વિદ્યાર્થી : ડે. શરદ ઠકકર, વડોદરાના વતની છે. આર. એમ. ઠક્કરના પુત્ર શરદકુમારે પિલીમર કેમિસ્ટ્રી પર તૈયાર કરેલ મહાનિબંધને અમેરિકાની કેન્ટ યુનિવર્સિટીએ પીએચ. ડી.ની પદવી આપી છે. આ માટે તેમને ૧૦,૦૦૦ ડોલરની ટચર આસિસ્ટન્ટશિપ આપવામાં આવી હતી. આ માટે વધુ સંશોધન કરવા માટે બીજી ૨૦,૦૦૦ ડોલરની કેલરશિપ મંજૂર થઈ હતી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org