SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૩૭૦ આભૂષણ હોય. રેજિદો સામાન્ય વ્યવહાર પણ પ્રમાણિક્તાસભર હોય. શ્રી રતિભાઈ એક સામાન્ય સ્થિતિમાંથી આજે એક લબ્ધપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ બન્યા છે તેની પાછળનું રહસ્ય ઉપર મુજબ હેવાનો ભાસ થાય છે. સાદું નિરભિમાની જીવન અને દિલની વિશાળતા આકાશને અડીને ઊભેલી જાણે જોવા મળે. દેવમંદિરમાં ન જઈ શકાય તે હકત નહીં પણ બિઝનેસ અને સાંસારિક વ્યવહારમાં ધર્મગ્રંથોએ પ્રબંધેલા નીતિનિયમોને ભંગ કયારેય થઈ શકે નહિ. એવી ઉચ્ચતમ વિચારધારાને જ્યારે તેમની પાસેથી આવાદ માણે ત્યારે મને મન વંદન કર્યા વગર રહી શકાયું નહીં. એ જ એમના ઘરનો સુંદર આતિથ્ય-સત્કાર. વતનમાંથી કોઈ આવી ચડ્યું હોય તે તેમની સાથે બેસીને ઘરનાં સૌને ભેજન લેવાની એક કુદરતી જ આદત. ધાર્મિક કાર્યોમાં સામેથી જઈને આત્મકલ્યાણ સાધવાની પ્રબળ અને તીવ્ર ઉત્કંઠા. સાવરકુંડલામાં તેમણે લક્ષ્મીનારાયણ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું તે પ્રસંગ એ વાતની સાક્ષી પૂરે છે. ઘરનું સંસ્કારી વાતાવરણ એવું કે ભક્તિમાર્ગનું જ સતત ચિંતન અને મનન. હમણાં જ થડા સમય પહેલાં સંતશ્રી મુખદાસ સ્વામીની એક પુસ્તિકા પ્રગટ કરાવવામાં યશવી રકમ બચી. પરચૂરણ ફંડફાળામાં અને સાવરકુંડલા જ્ઞાતિની બે ડિગમાં સારી એવી રકમનું દાન એમના ઔદાર્યની પ્રતીતિ કરાવે છે. તેમને લેકસાહિત્ય સાંભળવાનો જબરો શોખ. આથી મોટાભાગના કલાકારોને પરિચયમાં આવ્યા. ટેકસટાઈલ-ધંધાની શરૂઆત કરી સ્વયંબળે જ આગળ આવ્યા અને ધંધામાં એકધારી પ્રગતિ સાધતા રહ્યા. વીસ વર્ષ પહેલાં મીલના પાસની મોનોપેલી આઈટમ બનાવી અને ખ્યાતિ પામ્યા. શ્રી રતિભાઈ હજુ પણ સંયુક્ત કુટુંબની ભાવનાને વળગી રહ્યા છે. બંધુઓ શ્રી પોપટભાઈ તથા શ્રી દુર્લભજીભાઈની પ્રેરણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy