________________
૩૭૮ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો હોસ્પિટલમાં વાઈસ ચેરમેન પદે, મંદબુદ્ધિનાં બાળકોની શાળામાં ટ્રસ્ટી તરીકે, વર્ધમાન કો. ઓ. બેન્કમાં ડાયરેકટર તરીકે, જેના સંઘનું દવાખાનું થાય છે તેમાં ટ્રસ્ટી તરીકે તેમ જ ચંદ્રાબેનશશીભાઈનું પણ ધાર્મિક કાર્યોમાં પ્રદાન.
અગરબત્તીના વ્યવસાયમાં ગુજરાતવ્યાપી તેમને બહાળે બંધ ચાલે છે. મુંબઈમાં પણ આ પરફયુમરીને માલ જાય છે.
- શ્રી રતિલાલ ચકુભાઈ વાળા
માનવી જેટલે અંશે નિષ્કલંક અને પાપભીરુ બને એટલે અંશે દૈવી સદ્ગુણની પ્રાપ્તિ આપોઆપ જ કરી લ્ય છે. પ્રથમ જેનારને શ્રી રતિભાઈ વાળા સાવ સાદા અને સામાન્ય માનવી લાગે પણ તેમની સાથેના પરિચયથી તેમના નિર્મળ આત્માનો મધુર પરિમલ અને તેમની વાત્સલ્યતાનો જે લાભ મળે તેથી મહદ્ અંશે સંસ્કારસંપન્ન વ્યક્તિત્વની પ્રતીતિ થાય.
શ્રી રતિભાઈ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના ચલાળા પાસે કેરાલાના વતની. ચાર ગુજરાતી જેવો સામાન્ય અભ્યાસ. શ્રી રતિભાઈની ત્રણ વર્ષની ઉંમરે પિતાશ્રીનો દેહાંત થયો. આથી તેમનો ઉછેર અને જીવનનું ઘડતર કારમી ગરીબી વચ્ચે થયું. લુહાર પરિવાર હોવાથી ખેતીવાડીનાં ઓજારે બનાવવાનું કામ નાની ઉંમરમાં જાણી લીધેલું. એ જ એમનો બાપદાદાનો વ્યવસાય હતો.
માનવીની પ્રગતિનું મૂલ્યાંકન સંઘર્ષો અને તાણાવાણામાંથી પસાર થઈને સિદ્ધિની ટોચ ઉપર પહોંચે છે ત્યારે જ તેના સાચા વ્યક્તિત્વનું દર્શન થાય છે. સોળ-સત્તર વર્ષની બહુ જ કાચી કુમળી વયમાં મુંબઈ નગરીની વાટ પકડી. હદયમાં અનેક અરમાનો ભરીને બાહુબળે કમર કસી. ત્રણેક મહિના નોકરીથી કઠિન જીવનની શરૂઆત કરી.
માણસને રિદ્ધિ-સિદ્ધિ ત્યારે જ સાંપડે છે જ્યારે આત્મબળ અને સંકલ્પશક્તિ દઢ હોય. અપાર પૈર્ય અને પરમ સંતોષ તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org