________________
૩૭૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો અનુભવ અને તેને લઈને ઉપરોક્ત સંસ્થાઓમાં ઉપપ્રમુખ-પ્રમુખપદ સુધી પહોંચવામાં સફળતા મળી. સને ૧૯૬૪ થી ૧૯૬૬ એમ ત્રણ વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુંદર કામ કર્યું. ગુજરાત વિધાનસભા માટે બોરસદ મત વિભાગમાંથી સને ૧૯૯૭માં વિધાનસભાની ચૂંટણી લડ્યા અને યશસ્વી નીવડ્યા. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું. સમગ્ર ભારત જોયું. આફ્રિકા પણ જોયું. પુત્ર-પુત્રીઓને ઉચ્ચ શિક્ષણ આપ્યું. વતનમાં શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની પણ રાહબરી લીધી. હાઈસ્કૂલની સ્થાપનાથી માંડીને ઈ. એમ. એચ. એસ. ટ્રસ્ટના ચેરમેન તરીકે આર્ટસ, કોમર્સ, સાયન્સ અને એજ્યુકેશન કોલેજોની સંસ્થા ઊભી કરવામાં તેમનું માર્ગદર્શન અને અને સંચાલન ઉપગી બન્યું. એક શૈક્ષણિક ટ્રસ્ટના ચેરમેનપદે રહીને શિક્ષણના તમામ સ્તરે પ્રવૃત્તિનું વટવૃક્ષ બનાવી ગુજરાત યુનિવર્સિટીની સેનેટના સભ્ય તરીકે પણ કામ કર્યું.
તાજેતરમાં ઝાડલીઆ અને રહોડેશિયાના તેમના ૧૯૭૮ના પ્રવાસ અંગેનું પુસ્તક “નવું ગગન નવી ધરા”એ નામે પ્રકાશિત થયું છે અને ૧૯૭૬માં તેમણે ખેડેલા અમેરિકાના પ્રવાસનું પુસ્તક વિરાટ દેશે, વામન પગલાં” એ નામે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવાનું છે.
ઈ. સ. ૧૯૭૦માં બેરસદ નાગરિક બેંકની તેમણે સ્થાપના કરી છે અને શરૂઆતથી તેના ચેરમેનપદે રહી હજુ તેમાં કામ કરી રહ્યા છે. વકીલાતના વ્યવસાયમાંથી લગભગ નિવૃત્ત થઈ વાંચન, મનન અને લેખન મુખ્ય વ્યવસાય બનાવી તેની સાથે તેમણે ઊભી કરેલી શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ ધ્યાન આપી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org