SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૩૭પ અજાણ્યા અતિથિને મધુર મિત અને મધુર વાણીથી સત્કારે છે. આવનાર એમને આંગણેથી હંમેશાં રાજી થઈને ગમે છે, એ એમના પરિવારની ઉચ્ચ પ્રણાલિકા આજે પણ અકબંધ જળવાઈ રહી છે. ભાવનગરમાં ધંધાનું કુશળ સંચાલન ઉપરાંત રાજકેટ-મુંબઈઅમદાવાદમાં પણ તેમની શાખાઓ સંગીન રીતે ચાલે છે. ધંધામાંથી સમય મેળવીને પણ સામાજિક સંસ્થાઓમાં સમય-શક્તિને ભેગ આપે છે. ભાવનગરની બહેરા-મૂંગા શાળા સંચાલન સમિતિમાં અંધ ઉદ્યોગશાળામાં, ચેમ્બર ઓફ કોમર્સમાં, એમ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એટલું જ નહીં પણ આ બધી સંસ્થાઓમાં સારી એવી રકમની સખાવત કરી છે. હોસ્પિટલમાં સ્કૂલર મૂકવા માટે; વિકાસગૃહમાં, આંખના દવાખાનામાં, વિદ્યાર્થીઓને કેલરશિપ આપવામાં અને ફ્રી ડિપેન્સરી ચલાવવામાં તથા નાનામોટા ફડફાળાઓમાં શ્રી રમણીકભાઈના દિલની અમીરાતનાં દર્શન થાય છે. શ્રી રમણભાઈ ધનભાઈ પટેલ શ્રી રમણભાઈ પટેલ ખેડા જિલ્લાની સંખ્યાબંધ સામાજિક જીવંત સંસ્થાઓના પ્રાણસમા બન્યા છે. બોરસદ એમનું મૂળ વતન. મહત્ત્વાકાંક્ષી સ્વભાવને શ્રી રમણભાઈએ વકીલાતને વ્યવસાય સ્વીકાર્યો. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવાને પિતાની અનેક જનાઓ પાર પાડી. સાહિત્યસર્જનક્ષેત્રે પણ ચમક્યા. ભારતપ્રવાસ અંગેનું “મેં આ ભારત દેશ” નામનું પુસ્તક લખ્યું. ઉપરાંત “ ન્યાયપંચ અને સમાધાન પંચ” ઉપર પંચાયતીરાજની સ્થાપના બાદ એક ઉપયોગી અને માર્ગદર્શક પુસ્તક લખ્યું અને નામના મેળવી. આ પુસ્તક તાલુકા પંચાયતોની સ્થાપના પછી ન્યાયપને ઘણું ઉપયેગી નીવડ્યું. રાજકીય ક્ષેત્રે પણ ઘણાં વર્ષોથી સક્રિય રહીને લોકસંપર્ક કેળવતા રહ્યા. બેરસદ મ્યુનિ, લેલ બોર્ડ, તાલુકા કોંગ્રેસ સમિતિ વગેરેમાં તેમની કામગીરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy