________________
અભિવાદન થ ]
[ ૩૭૧ દેખાવા લાગી. છતાં ઓપરેશનથી બચે તેમ હતાં. એમને હોસ્પિટલમાં રાખ્યાં. એમના શરીરમાં પૂરતું લોહી નહતું તેથી બે-ત્રણ અઠવાડિયાં લંબાવ્યું. તે દરમ્યાન તેઓ ખૂબ કંટાળ્યાં. એમને સમજાવવા માટે મારાં માસીને મહેમદાવાદથી બોલાવ્યાં પરંતુ માન્યાં નહિ. મેત પિકારતું હશે ને ? એપરેશન ના કરવા દીધું. મારા મોટાભાઈએ એમની ખૂબ સેવા કરી એથી સંતેષ લઈને ગયાં.
એમની ઉંમર એવી હતી કે એમણે આ વખતે જીવન સમાપ્ત કરવું જોઈએ. યુવાનીમાં શરૂઆતથી અસહ્ય દુઃખ વેઠયાં. દુઃખ વેઠેલા માણસે ઉગ્ર બને છે પરંતુ તેઓ છેક સુધી નમ્રતાની મૂતિ રહ્યાં. દરેકનું કામ કરી છૂટવું અને તે પણ કઈ પણ જાતની શરત કે તકરાર વગર—એ એમને મોટો ગુણ હો. - હવે બન્ને પુત્ર મોટા થયા હતા તેથી એમને સંતોષ હતો. અમારી ઈચ્છા હતી કે ઓપરેશન કરાવીને રોગમુક્ત બને તે પાછળના બદલાતા અમારા આનંદમય જીવનની મઝા માણે. એમણે એટલું બધું દુઃખ અનુભવ્યું હતું કે મારા મોટાભાઈની શરૂઆતની પ્રગતિમાં જ સંતોષ માન્ય. પાછળથી મટાભાઈ ખૂબ આગળ વધ્યા અને મારી પણ ઝડપી પ્રગતિ થઈ તે જેવા ના રહ્યાં. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.
ડો. રમણલાલ વી. શાહ ડો. રમણલાલ ચીમનલાલ શાહનો જન્મ વડેદરા જિલ્લાના પાદરા ગામે ઈ. સ. ૧૯૨૬ના ડિસેમ્બરની ત્રીજી તારીખે થયો હતા. ડે. રમણલાલ શાહે પ્રાથમિક શાળાને અભ્યાસ પાદરાની સરકારી નિશાળમાં અને માધ્યમિક શાળાને અભ્યાસ બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં કર્યો હતો. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને તેમણે સેન્ટ ઝેવિયર્સ કેલેજમાં બી.એ. તથા એમ. એ.ને અભ્યાસ કર્યો. ૧૯૪૮માં ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈને તેમણે બી. એ.ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org