________________
૩૬૬ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો કારણ કે આશ્વાસન આપવા આવે તે કાયમની જવાબદારી સ્વીકારવી પડે એ દરેકને ભય હતો. પણ ઈશ્વરે દયાળુ છે. કેઈને તે દયા આવે છે. એ જ અરસામાં મહેમદાવાદથી મારાં માસી મળવા આવ્યાં. એમની સ્થિતિ ઘણી સારી હતી. મારી બાએ મોટાને એમને ત્યાં લઈ જવા વિનંતી કરી. એમણે તે સ્વીકારી. એ રીતે મોટાભાઈ કાયમ માટે છૂટા પડ્યા. થોડા જ વખતમાં નાને પ્રભુને પ્યારે થયો. હું એકલે જ એમની સાથે રહ્યો. કઠેર જીવનની. એમની યાત્રામાં મારો સાથ એમને જરૂરી હતો.
અમારું ભરણપોષણ થઈ રહે તે માટે ઘણા ઘણા વિચારે કરી જોયા. તે વખતે મધ્યમ કે શ્રીમંત વર્ગની સ્ત્રીઓ ગૃહકાર્યમાં તે હોશિયાર રહેતી જ. ઘરમાં રહીને કુટુંબનું બધી જાતનું કામ જેમ કે દળવું, ખાંડવું, રસોઈ વગેરે તેઓ કરતી. પરંતુ એમને ઘરની બહાર કામ કરવા જવું પડશે તે તો સ્વપ્ન પણ ખ્યાલ ના હોય. મહેનત ટાળવાને સવાલ નહતો. કોઈ સગા કે નેહીની હુંફ મળે તે નવી પરિસ્થિતિમાં જીવવાનું સરળ બને. એમના કાકાને ત્યાં ખેતીની જમીન હતી અને ખેતીકામમાં મદદરૂપ થાય તે બોલાવવા તૈયાર હતા, પરંતુ તે ગામમાં દીકરાને ભણવા માટે નિશાળ નહોતી. તેથી ત્યાં જવાની ના પાડી. એક શ્રીમંત સગાએ તો કહેવડાવી દીધું કે ગરીબ સગા અમારે ત્યાં ના શોભે, માટે એમને ત્યાં જવાનું હતું.
પછી નકકી કર્યું કે સાસરાના ગામમાં જ મહેનત-મજૂરી કરીને ઘર ચલાવવું અને ખર્ચમાં ઘટ આવે તે પિતાના બાકી રહેલા સેના-ચાંદીના દાગીનામાંથી છેડા છેડા દર વર્ષે વેચતા જવું. બાળકનું ભણતર ના બગાડવું તેમ જ દેવું પણ ના કરવું. મહેનત-મજૂરી કરી સ્વમાનથી જીવવું પરંતુ કેઈની પાસે હાથ લાંબે ના કરે. તેથી ગામના લેકેની સહાનુભૂતિ મળી. કુટુંબની આબરૂ અકબંધ રહી.
મોંઘીબા સવારે વહેલા ચાર વાગે ઊઠે, બે-એક કલાક અનાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org