________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૬૫ હતે. એ અરસામાં તેઓ બહારગામ ગયા હતા. પાછા આવતાં ઘેડા ઉપરથી પડી ગયા, તેથી માથામાં ઈજા થઈ. માથાના ઉપરઉપરના ઘા રુઝાયા, પરંતુ મગજની નબળાઈ કાયમ રહી. તેઓ જે સ્કૂતિથી ધંધાનું સંચાલન કરતા હતા તે પાછી મેળવી ના શક્યા. આ દિવસ ઉદાસીનતાથી અને શાંતિથી બેસી રહેતા હતા. ક્રિયાશૂન્ય થઈ ગયા.
ઘરની બધી જવાબદારી વેંઢારતાં મધીબાને આજ સુધી કઈ દુઃખ પડ્યું હતું. આનંદથી ઘર ચલાવતાં હતાં. બધું ભર્યું ભર્યું લાગતું હતું, ત્યાં ઓચિંતા આભ ફાટ્યું. સસરાનો એકને એક હેશિયાર અને કમાતે પુત્ર આવી રીતે બીમાર પડ્યો તેથી તેઓ નાના પિત્રને બળામાં લઈને બેસી રહેતા અને બધે ધંધો સમેટી લીધે. ચાલુ દુકાન માલસામાન સાથે નાના ભાઈઓને સેંપી દીધી.
ધંધે બંધ થવાથી કશી કમાણી રહી નહીં અને ખર્ચ પ્રમાણમાં ઘણું–તે કેટલા દિવસ ચાલે? ધીમે ધીમે બચત વપરાવા લાગી અને એક વખતનું આગળ પડતું શ્રીમંત કુટુંબ ગરીબીને આરે આવીને ઊભું રહ્યું. મારા દાદા આ આઘાત સહન કરી શક્યા નહિ. થોડા વખતમાં હંમેશને માટે પ્રભુશરણ થયા.
આવક બંધ, નાનાં બાળકે અને બીમાર પતિ અને એવા સમયમાં વડીલની વિદાય, મેંઘીબાના ઘા ઉપર મીઠું ભભરાવવા જેવું થયું. આવાં સાતેક વર્ષ બાળ-ઉછેર, બીમારી અને ગરીબીમાં કાઢયાં અને જ્યારે છેવટે વિધવા થયાં ત્યારે કુટુંબની બધી બચત વપરાઈ ગઈ હતી. મેટાભાઈ નવેક વર્ષના, હું ચારેક વર્ષને અને અને નાને ગર્ભમાં હતું. અસહ્ય દુઃખ અને માનસિક વિહવળતાથી મેંઘીબા બેભાન થઈ ગયાં. છ મહિના સુધી તે આંખનું તેજ પણ જતું રહેલું અને દુઃખના બોજથી આંધળાં થઈ ગયેલાં. નાનાભાઈને જન્મ થયો તેથી એક ત્રીજા જીવને ઉછેરવાની ચિંતા વધી. આ દારિદ્રમાં કઈ સગા કે સંબંધી આશ્વાસન આપવા આવ્યા નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org