________________
૩૬૪ ]
| આપણું શ્રેષ્ઠીવર્યો મારી માસી અને બાની સરખામણી કરો ત્યારે લાગતું કે માસી ખૂબ ગરાં હતાં અને બા ઘઉંવર્ણો હતાં, પરંતુ પછીથી ખબર પડી કે બા પણ ખૂબ ગેરાં અને નમણાં હતાં. એમના ઉપર અઢળક દુઃખોને વરસાદ વરસ્ય અને સંજોગે બદલાતાં બહારનાં અને ખેતરનાં ટાઢ-તડકે વેઠીને કામ કરવાં પડ્યાં, તેથી ચામડીને ચળકાટ ઓછો થયે. તેઓ સ્વામાની અને મનનાં ખૂબ મજબૂત હતાં. મહેનત કરીને ખાવું પરંતુ કેઈની એશિયાળી વેઠવી નહિ એ એમનો સ્વભાવ હતો.
સંયુક્ત કુટુમ્બમાં મારા દાદા સૌથી મોટા ભાઈ હતા. વિધુર થયા પછી બીજી વખત લગ્ન નહિ કરતાં, એમના એકના એક પુત્રને સારી રીતે ઉછેરવામાં અને પ્રભુસ્મરણમાં મન પરોવ્યું. મેટી દીકરી તેના સાસરે સુખી હતી.
મેંઘીબા શ્રીમંત અને સંસ્કારી કુટુંબના વડીલના એકના એક પુત્રીની પત્ની અને ઘરની લક્ષમી બની. ઘરના વડીલ પિતે એમનું માન જાળવતા એટલે ઘરનાં બધાં એમને પ્રેમથી બેલાવે. કુટુંબની પેઢીને ધંધે અનાજ, કઠોળ, ગોળ, કાપડને જથ્થાબંધ તેમ જ છૂટકને હતે.
(દાદાના) ભાઈ એ જુદા થયા ત્યારે બને નાના ભાઈઓની ઇચ્છા મુજબ, મોટા ભાઈએ ઉદારતાથી બાપદાદાનાં ઘર એમને વહેંચી આપ્યાં અને પોતે પુત્રના કુટુંબ સાથે ઝૂંપડા જેવા ગાયના વાડામાં બે ઓરડીમાં રહેવાનું સ્વીકાર્યું. પુત્રવધૂને આશ્વાસન આપ્યું કે થોડા વખત પછી આપણે અહીં નવું પાકું મકાન બંધાવીશું. નવું મકાન બાંધી શકાય તેને માટે પૂરતી જગ્યા હતી, પરંતુ બાંધી શક્યા નહિ. સંજોગો બદલાયા–“ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.” માણસ ધારે છે કંઈક અને થાય છે કંઈકે. એ ઝૂંપડી આજદિન સુધી ઝૂંપડી જ રહી છે. મારી માતાના કઠોર જીવનની સાક્ષીરૂપ હયાત છે.
એમના (દાદાના) પુત્ર ધંધાની દેખરેખ રાખતા અને અવારનવાર માલની ખરીદી માટે બહારગામ જતા-આવતા. દીકરે નાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org