SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૩૬૩ આપતા રહ્યા છે. તળાજામાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે ચૌમુખજીમાં પૂર્વાભિમુખ ભગવાન બેસાડયા હતા લાયન્સ કલબ, ઘાટકોપરમાં; હિન્દુ મહાસભામાં; લાયન્સ ક્લિનિકમાં એક બેડ તેમના કુટુંબ તરફથી અપાયેલ છે. ભાવનગરમાં વી. સી. લેાઢાવાળા હેસ્પિટલમાં દંત વિભાગ શરૂ કરાવવામાં તેમના પરિવાર તરફથી વર્ષો પહેલાં ૨૧૦૦૦નુ‘ માતબર દાન અર્પણ કર્યુ હતું. ૧૫૦ સ્નેહીઓને લઈ ને એક અઠવાડિયા સુધી આબુ, ઉત્તર ગુજરાતના શ્રી શ'ખેશ્વર, તારંગા, મહેસાણા વગેરે તીર્થોની યાત્રા કરાવ્યાના લાભ લીધા. આ પરિવારની સક્રિય અને સનિષ્ઠ સેવાઓનું યોગદાન જનમાનસમાં કાયમ માટેનુ સભારણું બની ગયું છે. માંઘીખા મારી માતા મને સીતા સ્વરૂપ જ લાગ્યાં હતાં. સીતા જેવાં પવિત્ર અને ધીરજવાળાં; અસીમ દુ:ખ ભોગવીને લવ અને કુશ જેવા બે પુત્રાને ઉછેરીને એમણે જીવન સ`કૈલી લીધું હતું. જીવનની શરૂઆતમાં તેએ સુખી હતાં, એવું લોકો કહેતાં; પરંતુ મારી સમજણની પહેલાંની આ વાત હતી. હું તેા એમના સહરાના રણ જેવા વેરાન પાછલા જીવનના સાક્ષી અને સાથીદાર હતા. રણમાં પણ કોઈ કોઈ જગ્યાએ પાણીનાં ઝરણાં અને હિરયાળી મળી આવે છે, તે રીતે હુ એમની સાથે હતા તેથી તેએ મારામાં એમના વાત્સલ્યનાં ઝરણાં અને હરિયાળીનાં સ્વપ્ના જોતાં અને એ રીતે એમના જીવનની કઠિન યાત્રા, આશા અને સતાથી વ્યતીત કરતાં હતાં. હું ચારેક વર્ષના ખૂબ નાના હતા ત્યારના તેએ વિધવા થયેલાં. તેથી મારી માતાને હું ગંગાસ્વરૂપે જ જોતા આવ્યેા હતેા. ગંગાના પ્રવાહ અને ઊ'ડાણુ ગહન છે. તેમાં પડીએ તે ડૂબી જવાય, તેનુ પવિત્ર જળ આચમનરૂપે લેવાથી જીવન પવિત્ર અની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy