________________
૩૬૨ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો તથા પક્ષીઓની ચણ માટેને ચબૂતરે કરાવ્યાં છે. બીજા ધાર્મિક થળમાં તેમની દેણગી રહેલી છે. શિક્ષણક્ષેત્રે પણ સારી એવી માતબર રકમ વતનમાં વાપરી છે.
શ્રી મોહનલાલ બેચરદાસ મહેતા પરિશ્રમને પ્રાધાન્ય આપીને મહત્ત્વાકાંક્ષી માનવ કેવી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શકે છે, તેનું આબેહૂબ દર્શન શ્રેષ્ઠી શ્રી મોહનલાલભાઈના પ્રેરણાત્મક જીવનમાંથી મળી શકે છે.
જીવનમાં પુરુષાર્થને જ બળે આગળ આવનાર અને ચોગરદમ સુવાસ પ્રસરાવી જનાર શ્રી મેહનલાલભાઈ મૂળ ભાવનગર જિલ્લાના દુદાણાના વતની અને જૈન ધર્મ અને શાસનપ્રેમી હતા. ૧૯૨૨માં જીવનમાં કાંઈક કરી છૂટવાના મનસૂબા સાથે મુંબઈ તરફ પ્રયાણ કર્યું અને જીવનની ઉજજ્વળ કારકિદી એક સામાન્ય નેકરીથી શરૂ કરી. તેમાં કુદરતે યારી આપી અને સ્વતંત્ર ધંધાના શ્રીગણેશ કર્યા. કિમે ક્રમે દૂધના ધંધામાં અદ્ભુત વિકાસ સાધ્યે.
સંપત્તિ કમાયા તે સારાયે સમાજની છે એમ માનીને તળાજાની જોન બેડિંગ, પાલીતાણા જેન બાલાશ્રમ, પાલીતાણા જૈન શ્રાવિકાશ્રમ, શંખેશ્વર જૈન તીર્થ, સાવરકુંડલા–બેંગલોરના જૈન ઉપાશ્રયે, મુંબઈ–કેટના દેરાસરમાં અને અન્યત્ર નાનામોટા ફંડફાળામાં સંપત્તિને છૂટે હાથે ઉદાર દિલથી ઉપગ કર્યો. પિોતે સૌરાષ્ટ્રમાં જૈન તીર્થોની યાત્રાઓ પણ કરી ઉજવળ જીવનની જ્યોત રેલાવી. તા. ૧૦-પ-૭૨ના રોજ સ્વર્ગવાસી બન્યા.
દાનધર્મના એ ઊજળા વારસાને તેમના પરિવારે જાળવી રાખ્યો. શ્રી શશીકાન્તભાઈ પણ એવા જ ધર્મપ્રેમી અને ઉદાર દિલના છે—જેઓ આજે પિતાશ્રીએ વિકસાવેલ ધંધાનું સફળ સંચાલન કરી રહ્યા છે. નાનાભાઈ એ શ્રી રમેશભાઈ તથા નિર્મળભાઈ પણ ધંધામાં સાથે જ છે. સૈ સાથે રહીને નાનામોટાં સાર્વજનિક અને ધાર્મિક તથા શૈક્ષણિક કામમાં યથાયોગ્ય ફૂલપાંદડી સહયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org