________________
૩૬૦ ].
[ આપણું શ્રેષ્ઠીવર્યો શૂન્યમાંથી વિરાટ સર્જન કરી લક્ષ્મી પ્રાપ્ત કરી. આજથી ૪૦ વર્ષ પહેલાં એક રૂપિયાનું મૂલ્ય ઘણું મોટું હતું ત્યારે શેઠશ્રીએ ધાર્મિક, વૈદકીય, સામાજિક અને શિક્ષણક્ષેત્રે અનેક સંસ્થાઓ, સંઘે અને ટ્રસ્ટને ઉદાર દિલે દાનની ગંગા વહાવી હતી અને એ રીતે જૈન સમાજની સંસ્થાઓને નવપલ્લવિત કરી હતી.
કઈ પણ પ્રવૃત્તિને આરંભ (શ્રીગણેશ) તેમનાથી થયા હોય તે ન કલ્પી શકાય એવી સફળતા અને સિદ્ધિ મળેલાં છે જે તેમની યશરેખાની પ્રતીતિ કરાવે છે. વ્યાપારી ક્ષેત્રે તેમની નિષ્ઠાને કારણે તેમની પ્રતિભા ખૂબ જ ઝળકી હતી. એમનું સમગ્ર જીવન ધર્મભાવના અને દિલની દિલાવરતાથી સુરક્ષિત અને સંસ્કારિતાથી શોભાયમાન હતું. રેલ, ભૂકંપ, દુષ્કાળ વગેરે કુદરતી આપત્તિનાં રાહતકાર્યોમાં શેઠશ્રીને સૌ પ્રથમ મેટો ફાળો હોય જ. અને એ રીતે રાષ્ટ્રને ઉપયેગી બનવામાં હંમેશાં આનંદ અનુભવતા.
નેંધપાત્ર વૈભવમાં જીવતા હોવા છતાં સાદાઈ, સરળતા, સૌમ્યતા અને સંયમના જીવંત ઉદાહરણરૂપ હતા તેમ જ આત્મપ્રશસ્તિથી હંમેશાં દૂર રહેતા. જીવદયા અને અહિંસાની વ્યાપક ભાવનાનું તથ્ય જાળવવા સદાય જાગૃત રહીને જેન ધર્મ અને શાસનનું હંમેશાં તેમણે ગૌરવ વધાર્યું છે.
કાયમ જૈન સમાજને ઉપયોગી બની રહેવાની ભાવના અને આદર્શો બચપણથી જ અમલમાં મૂક્યા હતા. સમાજની અનેકવિધ સેવાકીય સંસ્થાઓને સદા સર્વદા સેવા આપી જીવન ધન્ય બનાવી ગયા. ૮૦ વર્ષની ઉંમરે ૨૦-૨-૮૪ના રોજ સ્વર્ગવાસી થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org