________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૫૯ માણેકલાલભાઈના સુપુત્ર શ્રી બાબુભાઈએ પણ નાનામોટા ફંડફાળામાં દાનને પ્રવાહ હમેશાં ચાલુ જ રાખે છે. સોનગઢમાં પ. પૂ. કાનજી સ્વામીના દિગંબર જૈન મુમુક્ષુ મંડળમાં સારું એવું દાન આપેલું છે. શ્રી બાબુભાઈ પોતે ભારતમાં લગભગ બધે જ ફર્યા છે. મનન, ચિંતન અને ગરીબ માટેની મેટી હમદર્દી એ એમના જીવનનું પરમ ધ્યેય રહ્યું છે.
શ્રી બાબુભાઈ કયારેય માનવધર્મથી ગ્રુત થયા નથી. તેમના સમગ્ર જીવનમાં અને તેમનાં બધાં જ કાર્યોમાં વિચારને આધારસેવા અને સંગઠનની ભાવના છે. તેમનું નેહાળ સાંનિધ્ય માણવું એ પણ એક લ્હાવે છે. નિષ્ઠાવંત અને નિષ્કલંક ચારિત્ર્ય વડે જીવનમાં કેટલી ઉત્તેગ અને ઉદાત્ત પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે, તેનું પ્રેરક દૃષ્ટાંત તેમના જીવન અને કાર્યોથી મળી શકે છે. તેમની એક એક પ્રવૃત્તિ હમેશાં પ્રગતિશીલ રહી છે. પુણ્યપ્રતાપી, ધર્માનુરાગી અને જાજરમાન પૂર્વજોની યશસ્વી પરંપરાને વારસો મળે એ જેમ ગૌરવની વાત છે તેમ એ સંસ્કારવારસાને શાભાવી જાણો એ પણ કપરું કામ છે. શ્રી બાબુભાઈએ એ કામ સરળતાથી પાર પાડયું છે. ધન્યવાદ.
સ્વ. શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ જૈન સમાજની અસ્મિતાના જ્યોતિધર સમા શ્રી માણેકલાલભાઈ ખરેખર ધૂપસળી જેવું જીવન જીવી ગયા અને તરફ સુગંધ પ્રસરાવી ગયા.
જેમનું સમગ્ર જીવન ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક એમ અનેકવિધ સેવાઓથી સમૃદ્ધ હતું. વિશાળ સમાજને પીયૂષ પાનાર શ્રી માણેકલાલભાઈને ઉદાર દિલના શાલીભદ્ર સજન તરીકે ઓળખાવવામાં અતિશયોક્તિ નથી.
આ શ્રેષ્ઠીરત્નએ અઢાર વર્ષની ઉંમરે વાયદા બજારમાં પ્રવેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org