________________
૩૫૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો ધરાવતાં. સ્વભાવે ઉદાર અને હસતા મુખડે દાન દઈ શકતાં હતાં. કુળને અજવાળે, પિતાનું નામ રોશન કરે તેને કુલદીપક કહેવાય. શ્રી જયંતભાઈ આવા જ કુલદીપક નીવડ્યા. આજ તેઓ પણ અનેક જાહેર સંસ્થાઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે.
સ્વ. શ્રી માવજીભાઈનું વ્યક્તિત્વ જનસમાજમાં અનેરી ભાત પાડી ગયું. એમની આહારવિહારમાં ચેસાઈ અને નિયમિતતા આજની યુવા પેઢીને માટે જવલંત દષ્ટાંત બની રહ્યું છે. વિશાળ સંખ્યામાં મિત્ર-શુભેચ્છકે તેમના ઉપર અનહદ પ્રેમ હતે. તેમના સ્વર્ગવાસ વખતે આવેલા હજારો દિલસેજીના સંદેશાઓ એમના જીવનની મધુર સુવાસની પ્રતીતિ કરાવે છે.
શ્રી માણેકલાલ વાડીલાલ સવાણું ભારતના સ્વાતંત્ર્યના રજતજયંતી પર્વે મહારાષ્ટ્ર સરકારે શ્રી માણેકલાલ વી. સવાણુને જે. પી. (જસ્ટિસ ઓફ પીસ)ની પદવી આપી. માધ્યમિક શિક્ષણ મેળવીને શ્રી સવાણીએ ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં ઝુકાવ્યું. અત્યારે વિશાળ વટવૃક્ષ બનેલા “સવાણી ટ્રાન્સપોર્ટ'. ની બીજરૂપી શરૂઆત ઘણું કપરી હતી. રસાકસી ભરેલા આ ક્ષેત્રમાં માર્ગવ્યવહાર દ્વારા માલ મેકલવાની શરૂઆત કરાવવામાં શ્રી સવાણીને મુખ્ય ગણાવી શકાય. ૧૯૫૩-૫૪માં લાંબા અંતરે ડીઝલથી ચાલતી ટ્રકે શરૂ થઈ અને હૈદ્રાબાદ ખાતે સવાણી ટ્રાન્સપોર્ટ કંપનીની પહેલી ઓફિસ ખુલ્લી મુકાઈ. મુંબઈ, હૈદરાબાદ વચ્ચેના વેપારી સંબંધે વિકસતાં આંધમાં બીજી જગ્યાઓએ એક પછી એક શાખાઓ શરૂ કરી. ૧૯૫લ્ટી ગુજરાતમાં પણ નવાં નવાં સ્થળોએ શાખાઓ ખેલવાનું શરૂ કર્યું. આમ ૧૯૪૪ થી ૧૯૫૮ સુધીની સતત મહેનતના પરિણામે ધંધામાં સવાણી ટ્રાન્સપોર્ટ વિશ્વસનીયતાનું સ્થાન મેળવ્યું. ૧૯૫૯માં આ કંપની ફલીફૂલીને વટવૃક્ષ બનતાં તે સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઈવેટ લિ. માં ફેરવાઈ સવાણી ટ્રાન્સપોર્ટની ૧૯૬૭ સુધીમાં દેશભરમાં ૧૦૧ શાખાઓ થઈ અને ૧૯૭૭ સુધીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org