________________
૩૫૪ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો છે. નવપદજીની સામૂહિક આયંબિલ કરાવવાને લાભ લીધો, ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ સમૂહલગ્નમાં ગદાન કર્યું. ધર્મપત્ની
અ. સૌ. પદ્માબેન ૧૯૬૭માં સાવરકુંડલામાં પ્રતિષ્ઠા પ્રસંગે મુનિ સુવ્રતસ્વામીને ગાદીનશન કરાવવાને લાભ લીધે. જીથરી હોસ્પિટલમાં પણ તેમણે મોટું દાન આપ્યું છે. ઘણા જ ધર્મિષ્ઠ પુરુષ છે.
રસ્વ. શ્રી માવજીભાઈ દામજીભાઈ શાહ
સ્વ. શ્રી માવજીભાઈ શાહ જૈન સમાજનું ગૌરવશાળી રત્ન હતા. એક આદર્શ, ધ્યેયનિષ્ઠ, ધાર્મિક શિક્ષક હતા. ૭૩ વર્ષની યશસ્વી જિંદગીને અંતે મુંબઈમાં તા. ૯-૭-૬પને દિવસે ધર્મ ભાવનાનું સમરણ કરતાં કરતાં સ્વર્ગવાસી બનીને અમર બની ગયા.
ભાવેણાની સંસકારભૂમિ એ એમનું જન્મસ્થાન. માતાનું નામ પૂરીબહેન. કુટુંબની સામાન્ય સ્થિતિ પણ સંસ્કાર અને ધાર્મિકતાની એને બક્ષિસ મળી હતી. માતાપિતાના એ એકના એક પુત્ર હતા. દશ વર્ષની કાચી કુમળી વયે કાશી પહોંચીને વિદ્યા ઉપાર્જનમાં લાગી ગયા. નમ્રતા, વિનયશીલતા અને વિવેકથી એમને સૌના વત્સલ બનાવી દીધા. ઉદ્યમશીલતા અને ધ્યેયનિષ્ઠાએ સરસ્વતીના લાડકવાયા બન્યા. સોળ વર્ષની ઉંમરે મુંબઈમાં ધાર્મિક શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી.
એમને સ્વભાવ સરળ, ઓછા બેલે અને કર્તવ્યપરાયણ હતો. એ યશસ્વી જીવનની પ્રસાદીરૂપે તેમનાં ૭૬ જેટલાં નાનાંમોટાં પુસ્તકની સમાજને ભેટ મળી છે. તેમનું ઘન્ય જીવન અને કેને પ્રેરણા આપી ગયું. પ. પૂ. આ. વિજયધર્મસૂરિજી મહારાજ સાહેબે તેમના માટે લખ્યું છે કે વર્તમાનકાળના શ્રાવકસંઘમાં તેઓ એક આદર્શ શ્રાવક હતા. તેમ જ જીવનમાં જૈન શાસન પ્રત્યે અવિચલ શ્રદ્ધા અને ભક્તિ હતાં. દેવ-ગુરુ-ધર્મના તેઓ ઉપાસક હતા. દેવદર્શન, પૂજા-સામાયિક તેમ જ યથાશક્તિ વ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org