________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૫૩ તેમને અભ્યાસ માત્ર મેટ્રિક પાસ સુધી જ છેપરંતુ કુશાગ્ર બુદ્ધિ, ચીવટ, ખંત અને ઉત્સાહથી જોતજોતામાં બધો કારભાર સંભાળી લીધે. સંસ્થામાં ૧૫ વર્ષ સુધી મંત્રીપદે રહીને સેવા આપી. સેંકડે બહેનનાં અંતરની આશિષ લીધી. બોમ્બે સીટીઝન્સ કમિટીમાં, મેયર રિલીફ કમિટીમાં તેમને માનભર્યું સ્થાન મળ્યું. તદ્ ઉપરાંત બાળાશ્રમ કમિટીમાં, ગુરુકુળ કમિટીમાં ટ્રસ્ટી તરીકે, તાલધ્વજ બાળ વિદ્યાથીગૃહની કમિટીમાં રહીને તન-મન-ધનથી સેવા આપતા રહ્યા. વિવિધ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.
શ્રી મહાસુખલાલ લક્ષ્મીચંદ શાહ સમાજની ચેતનાને જાગૃત કરી તેને ગૌરવવંતી બનાવવા કાજે સમયે સમયે દાનવીર જન્મ લે છે; અસ્મલિત દાનગંગા વહાવી સમાજના પ્રત્યેક કાર્યોમાં લક્ષ્મીને સદ્વ્યય કરી રહ્યા છે. તેમના જીવનઘડતરની અપ્રતિમ સાધના, સામાજિક ક્ષેત્ર તરફની મૂક સેવાવૃત્તિ અને આત્મકલ્યાણનાં પ્રત્યેક કાર્યોની પુષ્ટિએ તેમના જીવનને એક અનેખું સ્વરૂપ આપ્યું છે. ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, વ્યાપારનું કૌશલ્ય, દાનવૃત્તિને વારસે એ એમના કુળની પરંપરા. તેમના વડવાઓએ સંઘ, શાસન અને સમાજની પ્રત્યેક પ્રવૃત્તિમાં આપેલું ગદાન એ ખરેખર તેમના કુટુંબની યશગાથા છે.
નાની વયમાં તેમના પિતાશ્રીની છત્રછાયા ગુમાવી. તેમના માતુશ્રીએ ભાઈબહેને માં સંસ્કારોનું સિંચન કરી તેમના જીવનબાગને મહેકતે બનાવ્યું છે. તેમના વડીલ બંધુ કાંતિલાલ લક્ષ્મીચંદ શેઠ તથા લઘુબંધુ સુમતિચંદ્ર લક્ષમીચંદ શેઠ એ સંસ્કારવારસાને આજે પણ શોભાવી રહ્યા છે.
વિલે પારેલેમાં મહાસુખ ભુવન ઉપાશ્રય, આયંબિલ ભુવન, પાઠશાળા તેમ જ વ્યાખ્યાન હેલ બંધાવી ઉદાત્ત ધાર્મિક વૃત્તિને પરિચય કરાવ્યું છે. હસ્તગિરિતીર્થમાં માતબર રકમનું દાન આપ્યું છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org