________________
ઉપર ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી મહિપતરાય જાદવજી ભાવનગરના વતની શાહ સદાગર શેઠ જાદવજી નરશીદાસ એક મશહૂર નામાંક્તિ વેપારી હતા. એમના ત્રણ પુત્રો હતા. તેમાં શ્રી મહિપતભાઈ નાના પુત્ર હતા. તા. ૯-૬-૨૪ના મંગળ દિવસે એમને જન્મ થયો હતો. તેઓ સુશ્રાવક શ્રેષ્ઠીવર્ય શ્રી ત્રિભોવનદાસ હરખચંદ ખાંડવાલા અને સુશ્રાવક ધર્માનુરાગી જડીબેન ત્રિભવનદાસનાં સુપુત્રી શ્રીમતી વિજયાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. તે પરોપકારના અને ધર્મના કાર્યમાં સદાને માટે એક સાચા સાથીદાર પણ છે. એમની દરેક પ્રેરણા શ્રી મહિપતભાઈને જીવનમાં અત્યંત ઉપયોગી અને માર્ગદર્શક હોય છે. ૧૯૫૪માં જેન ઉદ્યોગગૃહના કાર્યકર્તાઓએ મહિપતભાઈની સેવાની માગણી કરી, કાર્યવાહક સમિતિમાં લીધા અને જોતજોતામાં ઉદ્યોગગૃહની શાન બદલી નાંખી. એ ઓઈલ સીઝ એસોસિયેશન જેવી માતબદાર સંસ્થામાં આઠ વરસ સુધી ડાયરેક્ટર તરીકે સૌથી વધુ મતે ચૂંટાઈને સેવા આપી. અગાસી તીર્થ જૈન દેરાસરમાં ત્રણ વર્ષ ટ્રસ્ટી તરીકે રહ્યા. કેળવણી ક્ષેત્રે શકુંતલા જેન હાઈસ્કૂલ કમિટીમાં જોડાઈ મહત્વની સેવા આપી. મહારાષ્ટ્ર સરકારે તેઓને ૧૯૭૦માં જે.પી.ને ઈલ્કાબ આપી સન્માન્યા. ત્રણ વરસ જે.પી. રહ્યા. એલ ઈન્ડિયા જેન કોન્ફરન્સ, પાલીતાણું અધિવેશનમાં મંત્રીપદે તેમની વરણી કરી, જેમાં સાત વરસ સુધી સેવા આપી. આમ અનેક સામાજિક, ધાર્મિક અને
વ્યાપારિક સંસ્થાઓમાં સેવાભાવી કાર્યકર તરીકે સુંદર સેવા બજાવી પિતાની બુદ્ધિશક્તિ અને ઉદારતાનું ગદાન આપેલ છે. મહાવીર વિદ્યાલયમાં પણ તેઓ પેટ્રન છે. શ્રી મહિપતભાઈએ પુરુષાર્થ અને પુણ્યદયથી પ્રારબ્ધ અને પ્રસન્નતા, સંસ્કારિતાના ક્ષેત્રે ઘણું ઊંચું સ્થાન મેળવી જીવનને સુવાસિત કર્યું છે. ૧૯૫૨માં સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી, ૧૯૭૨થી હાજર માલના ધંધામાં પડ્યા. ૧૯૭૬થી કેમિકલસને ધંધે વિશાળ પાયા પર ચલાવી રહ્યા છે. ધંધા કરતાં એમનું સામાજિક જીવન ખૂબ જ અનુમોદનીય અને પ્રશંસનીય છે. વેપારી સમાજમાં પણ તેમનું આગવું સ્થાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org