________________
ધર્મ અને
ખ્યાતિ પ્રાપ્ત
ન છે "
અભિવાદનગ્રંથ ]
[ ૩૪૯ શ્રી મનસુખલાલ ધનજીભાઈ વોરા કલા-સંસ્કૃતિ, શિક્ષણ અને સમાજસેવા વ્યાપાર અને ઉદ્યોગ; ધર્મ અને માનવતાવાદી અનેકવિધ પ્રવૃત્તિઓ અને સંસ્થાઓમાં જેમણે વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવા વિદ્યાવ્યાસંગી શ્રી મનસુખલાલભાઈ વેરા મુંબઈમાં વસતા જૈન શ્રેષ્ઠીઓમાં અગ્રસ્થાને માનવંતું સ્થાન શોભાવી રહ્યા છે.
મુંબઈમાં પ્રથમ હરોળમાં ગૌરવભર્યું બિરુદ ભેગવતા શ્રી મનસુખલાલભાઈ જામનગર પાસે વડાલાના વતની છે. વર્ષો પહેલાં ધંધાર્થે ૧૯૩૫માં ઈસ્ટ આફ્રિકા (મેમ્બાસા) ગયા. અનુભવનું વિશાળ ભાથું મેળવીને ૧૯૪૨માં સ્વદેશ પાછા ફર્યા. સ્વયંબળે પુરુષાર્થ કરી ૧૯૪૩માં મુંબઈમાં એસ. મનસુખલાલની કુ, નટવર ટ્રેડિંગ કું. દ્વારા ઈપેટે...એકસપર્ટને વ્યાપાર શરૂ કર્યો. કુદરતે ધંધામાં યારી આપી. બે પૈસા કમાયા અને ઉદાર દિલે એ સંપત્તિને સદુપયોગ પણ કરતા રહ્યા.
તેમનામાં વ્યાપાર અને સંસ્થા સંચાલનને કુશળ વહીવટ, શ્રી અને સરસ્વતીને મંગળ સુમેળ, આંગણે આવેલાઓને અને સારી પ્રવૃત્તિઓને પ્રેત્સાહિત કરવાના તેમના ઉમદા સદ્ગુણોએ તેમને ઉચ્ચ સ્થાને બેસાડ્યા છે. જાહેરજીવનને પણ બચપણથી શોખ, વતનના સાંસ્કૃતિક વિકાસમાં પણ તેમને યશસ્વી કાળે; જેન અને જૈનેતર સંસ્થાઓમાં આ કુટુંબે હમેશાં યથાયોગ્ય ઘટતું કર્યું છે.
મુંબઈની કે બહારની કેઈપણ કલા-શિક્ષણ પ્રવૃત્તિ એવી નહીં હેય કે જેમાં શ્રી મનસુખભાઈની સંગીન સહાય કે સહગ ન સાંપડ્યો હોય.
બારેક વર્ષ પહેલાં જામનગર જિલ્લામાં કાલાવડ (શીતલા) પાસે મેટા વડાલામાં જે પ્રાચીન દેરાસર છે, તેમાં સાત વર્ષની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે. તે પ્રતિમા (ચંદ્રપ્રભસ્વામી)ની પ્રતિષ્ઠા એક વર્ષ પહેલાં પૂજ્ય આચાર્ય ભગવંત ચારિત્ર્યવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org