________________
૩૪૮ ]
|| આપણા શ્રેષ્ઠીવર્યો તેમ જ શાસ્ત્રના આધાર આપી લેખન રસમય અને સચેટ કર્યું છે. તેમનું લખાણ તેમના વિશાળ વાંચનની સાક્ષી પૂરે છે. તેઓએ શ્રીમદ્ રાજચંદ્ર, સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, શ્રી રમણ મહર્ષિ, સંત તુલસીદાસ, મહર્ષિ અરવિંદ વગેરે સંતના થે તથા પૂ. મહાત્મા ગાંધી, શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી ટીળક, શ્રી રાધાકૃષ્ણન જેવા વિદ્વાને તેમ જ ડો. દુબોય, . સર લાયેનલબીલ, મેંર પિલ બ્યુરે, ડે. કાઉ જેવા પાશ્ચાત્ય વિદ્વાને તેમ જ વિજયવલ્લભસૂરિજી, વિજયબુદ્ધિસાગરજી મ. વગેરેના વાંચનનું દોહન કરી સમાજને રસમય સાહિત્યપ્રસાદી આપી છે.
સમાજસુધારાની બાબતમાં તેઓ માનતા કે સમાજમાં ઘર્ષણ ન વધે એ રીતે સુધારા કરવા જોઈએ. સામાજિક રીતરિવાજોમાં થતા ખોટા ખર્ચ અને આડંબર તજવા જોઈએ. ધાર્મિક અનુષ્ઠાન પણ આડંબરરહિત સમજપૂર્વક થવા જોઈએ, તેમ તેઓ સ્પષ્ટપણે માનતા. સમાજમાં સ્ત્રીને સ્થાન વિષે તેમણે પુણ્યપ્રકેપ વ્યક્ત કર્યો હતો. સમાજમાં સ્ત્રીને પુરુષ સમાન સ્થાન મળવું જોઈએ. શ્રમણ સમુદાયમાં પણ સાધ્વીજી મહારાજેના જ્ઞાનને લાભ સમાજને મળે તેવી સારી વ્યવસ્થા ગોઠવાવી જોઈએ તેમ તેમણે વ્યક્ત કરેલું.
મૃત્યુ સંબંધી તેમના વિચારે બહુ સ્પષ્ટ છે. જ્ઞાતત્ત્વ દિ ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च। तस्माद् परिहार्येऽर्थे न त्वं રોજિતુમર્દવિ છે આ લેકમાં દર્શાવેલ વિચાર તેમણે આત્મસાત કરેલા. તેઓ મૃત્યુથી કદી ડરતા નહીં. તેમનું મરણ પણ સાચા અર્થમાં શાંતિપૂર્વકનું મરણ કહી શકાય. તેમણે અમદાવાદમાં પૂજ્ય મુનિ મહારાજ પધસાગરજી પાસે વિનંતી કરી કેટલી બાધાઓ લીધેલી અને એ રીતે મૃત્યુને તે સ્વાભાવિક રીતે આવે ત્યારે તેને ભેટવા આધ્યાત્મિક તૈયારી કરી લીધી હતી તેથી જ તેમને મૃત્યુંજયી કહી શકાય.
આ રીતે તેમનું જીવન અને સાહિત્ય અધ્યાત્મલક્ષી અને સમાજેન્નતિની દષ્ટિવાળું હતું. એવા સરળ, નીડર, નિર્દભ, સાત્વિક, ધર્મપરાયણ મનસુખલાલભાઈને બહુશ વંદન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org