________________
અભિવાદ્ઘનગ્રંથ ]
[ ૩૪૭
વવું' એવી ઝીણવટવાળી તેમની અહિંસા હતી. બ્રહ્મચર્ય વ્રત પર તેમને અતૂટ શ્રદ્ધા અને દૃઢતા હતાં. તપનું આચરણ બાહ્ય કરતાં આભ્યંતર વિશેષ હતુ. વમાન તપની ૨૦ એળી તેમ જ ત્રણ અઠ્ઠાઇ નવ ઉપવાસ વગેરે કરેલ.
તેઓએ આ તપશ્ચર્યા ભાવથી, આત્મશુદ્ધિના સંકલ્પથી કરેલ. કેટલીક તપસ્યા મુંબઈ બહાર પર્યુષણમાં પૂ. પૂર્ણાનંદવિજયજી મ. સા.ના આમંત્રણથી તેએ ચામાસુ હોય ત્યાં જઈ કરેલ. તપશ્ચર્યા કરેલ તેમ ઘરે પાછળથી ખબર પડે. પેાતે વાત ન કરે. આડ વખત રક્તદાન પણ કરેલ. આ રીતે તેમનું સામાજિક અને ધાર્મિક જીવન આડંબર વગરનું અને સાદાઈપૂર્ણ હતું.
વીમાના વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ થયા પછી તેમણે વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ લીધી અને સમ'જસેવા કરતા. તેએ ધાર્મિક-સામાજિક સ’સ્થાના વહીવટ કરતા ત્યારે વહીવટ શુદ્ધ રહે તે માટે જાગૃત રહેતા અને સંસ્થાને જરૂર પડે ત્યારે તન, મન, ધનથી સહકાર આપવામાં પાછી પાની ન કરતા. જે સસ્થાઓને તેમની સેવાને લાભ મળ્યા છે તેમાંની મુખ્ય શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સ`ઘ, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી સિદ્ધાર્થ એજ્યુ. ટ્રસ્ટ; શ્રી દેવકરણ મૂળજી જૈન સસ્તા ભાડાની ચાલ ટ્રસ્ટ વિ. એજ્યુકેશન એની ઘણી પરીક્ષા આપેલ અને પછીથી પેપર કાઢવા, પેપર તપાસવા વગેરે કામ કરેલ, મુલુન્ડમાં દેરાસરજીની સામે જ આવેલ દેવકરણ ભવન અને પૂતળીબાઈ ભવન તેમની આ ટ્રસ્ટ માટે કરેલ અથાગ મહેનતનું જ પરિણામ છે.
તેમણે કરેલ સાહિત્યસેવા ઉત્તમ ટિની છે. તેમણે શીલધમ ની કથાઓ ', ' બ્રહ્મચય અને બીન્દ્ર લેખા', ‘ જાણ્યુ અને જોયું' અને આત્માનંદ પ્રકાશ, શિક્ષણ પત્રિકા વિ.માં તેમણે લખેલ કથાઓ-લેખેા તેમની તત્ત્વચિ'તકની પ્રતિભા પ્રગટ કરે છે. તેમની શૈલી સાદી અને આબાલવૃદ્ધ સમજી શકે તેવી છે. તેમનુ સાહિત્ય, જ્ઞાન અને સદાચારની પ્રેરણાથી સભર છે. બેધક દૃષ્ટાંતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org