________________
૩૬ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો મૂળજીની પેઢીમાં નોકરી સ્વીકારી, ત્યારબાદ સ્વતંત્ર વ્યવસાય કરવાને મનસૂબે ઘડ્યો અને જીવનવીમાના વ્યવસાયમાં પિતાના પિતરાઈ શ્રી ભાઈચંદભાઈ અને કુટુંબીઓ સાથે કામ કર્યું. પિતાની કાર્યસૂઝ અને આવડતથી ધિ નેપચુન એસ્યોરન્સ કંપની લિ.ની શ્રી ભાઈચંદભાઈ સાથે મળીને સ્થાપના કરી. “ન્યાય સંપન્ન વિભવ:”એ સૂત્ર લક્ષમાં રાખ્યું. કંપનીની કામગીરી દરમ્યાન દેશના જુદા જુદા ભાગોમાં તેઓ ફર્યા હતા. સાથે યાત્રાધામો અને સૌંદર્યધામની સફર પણ થતી. આ સમયમાં જુદા જુદા અનેક અનુભવો થયા.
તેમના લગ્ન દાનવીર શેઠશ્રી દેવકરણ મૂળજીનાં સુપુત્રી શ્રી લીલાવતીબેન સાથે થયેલ. તેમનું દાંપત્યજીવન અન્ય દંપતીઓને પ્રેરણાદાયી હતું. તેમના ધર્મ અને સેવાપરાયણ જીવનમાં તેમનાં ધર્મપત્નીને અમૂલ્ય ફાળે હતો. તેમનાં પત્નીની માંદગી દરમિયાન તેમણે કરેલી કાળજીપૂર્વકની સેવા અજોડ હતી.
ઈ.સ. ૧૯૪૬માં તેમનાં ધર્મપત્નીને સ્વર્ગવાસ થયે. આ વખતે તેમની ઉંમર ૩૮ વર્ષની હતી. આ ઘટના બાદ પોતાનું જીવન વધુ ને વધુ સેવા અને આત્મસાધના તરફ વાળ્યું. એમની આત્મસાધના શુષ્ક નહતી. સાધના સાથે કુટુંબીઓ તરફની ફરજ પણ બરાબર અદા કરતા. તેમનાં સંતાનને કદી માતુશ્રીની ખોટ ન સાલે તેવી કાળજી રાખી પ્રગતિ કરી રહ્યા. વડીલ ભાઈ ભેગીલાલભાઈ તથા મેટી બેન ચંદનબેન પ્રત્યે ખૂબ આદરથી વર્તતા અને તેઓને પણ તેમના તરફ પૂરી મમતા હતી. તેમના કુટુંબ પ્રત્યેની જવાબદારી પણ આદર્શ રીતે અદા કરતા. તેમના કુટુંબના દરેક સભ્ય તરફ અપાર મમતા રાખતા અને તેમનામાં સુસંસ્કારોને પિષતા. પિતાના ઉદાત્ત સ્વભાવથી પોતાનાં સંતાને તેમ જ ભાઈ બહેનનાં સંતાન તરફથી પણ પૂર્ણ આદર પ્રાપ્ત કરેલ.
તેઓ આચરણ-વિચાર-વાણી-વર્તન એકસરખું રાખવા પ્રયત્નશીલ હતા. ઉત્કૃષ્ટ ધર્મ એટલે અહિંસા-સંયમ-તપ. આ ત્રણેને જીવનમાં વણ્યાં હતાં. કેઈને દુઃખ ન લાગે એવી કાળજીપૂર્વક બેલવું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW