________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૪પ જેમ વણી લેનાર અને શીલધર્મના સાચા આરાધક સ્વ. શ્રી મનસુખલાલભાઈને જન્મ ગાયકવાડી રાજ્યના અમરેલી શહેરમાં ઈ. સ. ૧૯૦૮ના માર્ચ માસની ૧૭મી તારીખે થયું હતું. તેમના પિતાશ્રી સત્યપ્રિય અને ન્યાયપરાયણ હતા. તેમનાં માતુશ્રી જડાવબહેને માયાળુ સ્વભાવ અને ધર્મપ્રેમથી બાળક મનસુખલાલમાં ધર્મ સંસ્કારનાં બીજ રોપ્યાં હતાં. માતાની હૂંફ અને શીળી છાયા તે તેમને માત્ર પાંચ વર્ષની ઉંમર સુધી જ મળ્યાં હતાં; પણ માતાએ રેપેલા ધર્મસંસ્કારનું સારી પેઠે જતન કરી કેઈ અગમ્ય શક્તિ વડે તેમાંથી પ્રેરણા મેળવી તેમણે પિતાના જીવનનું ઘડતર કર્યું.
તેમનાં માતુશ્રીના સ્વર્ગવાસ અંગે શ્રી મનસુખભાઈએ લખ્યું છે કે “મારાં માતુશ્રી સં. ૧૬માં સદ્દગત થયાં તે વખતે મારા પિતાશ્રીએ અમારી પથારી અમારા કુટુંબીઓના ઘરમાં કરાવેલી... દુઃખ, આઘાત અને વેદનાથી અમે મુક્ત રહીએ એ દષ્ટિએ આ
વ્યવસ્થા કરાવેલી. અને તેમના જીવન દરમ્યાન આ દષ્ટિને ખ્યાલ રાખીને તેમણે અમારું પાલનપોષણ કર્યું. તેમણે અમારા સુખમાં સુખ માન્યું અને અમારા દુઃખમાં એ દુઃખનો ભાર અમારા ઉપર ન પડવા દેતાં તેમણે ઝીલી લીધે. કાદવની વચ્ચે પાણીમાં રહેવા છતાં કમળ જેમ અલિપ્ત રહે છે તેમ મારા પિતાશ્રી સંસારમાં રહીને સંસારના મેહથી નિરંતર અલિપ્ત રહ્યા....” પિતાના પિતાશ્રીમાં નિહાળેલી આ જીવનદષ્ટિ પ્રમાણે પોતે પણ વ પિતાનું જીવન વૈરાગ્યમય, સાદું, નિર્લેપ, સાત્વિક અને સાધનામય બનાવ્યું હતું.
તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં પ્રાપ્ત કર્યું હતું. “પુત્રનાં લક્ષણ પારણામાંથી” એ ઉક્તિ અનુસાર બાલ્યકાળ દરમ્યાન પણ તેમનામાં દયા, ઉદારતા જેવા ગુણો જેવા મળે છે. શાળાએ જતી વખતે વાપરવા આપેલા પાઈપૈસે પણ કેટલીક વખત તેઓ દીન-દુઃખિયા કે રક્તપિત્તીઓને આપી કૃતાર્થતા અનુભવતા. અહીં તેમણે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો.
ત્યારબાદ તેઓ મુંબઈ જઈ વસ્યા. શરૂઆતમાં શેઠ દેવકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org