________________
૩૪૪]
[ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા વાર્તાસર્જક અને શબ્દશિલ્પીઓમાં સગત શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા શીલ, સંસ્કાર, સંયમ, તપ અને સેવાના સુમેળને અક્ષરદેહ અર્પનાર વાર્તાલેખક તરીકે માત્ર સાહિત્યક્ષેત્રમાં જ નહિ પરંતુ જૈનધર્મ અને સમાજમાં પણ યશેજજવલ પ્રતિષ્ઠાના અધિકારી બની ગયા છે. સ્વ. શ્રી મનસુખભાઈ મહેતા કેવળ સાહિત્યસર્જક કે જીવનના સાધક જ ન હતા પરંતુ વ્યવહારકુશળ અને કર્તવ્યનિષ્ઠ એવા આજીવન કર્મયેગી હતા. તેઓ ધર્મિષ્ટ હોવા છતાં ધાર્મિક જડતા અને અંધશ્રદ્ધાથી પર હોવાના કારણે સાધુ અને સંતાના ઉપદેશને હૈયાના ઊંડાણમાં ઉતારી એની ચિકિત્સા કરનાર એક વિચક્ષણ વિચારક પણ હતા, જેના ફલસ્વરૂપ તેઓનું સમગ્ર જીવન નમ્રતાથી ઓપતી વિદ્વત્તા, આત્મસંયમ અને અધ્યાત્મલક્ષી ધર્મપરાયણતાથી સભર બન્યું હતું. વાણી, વિચાર અને વર્તનની એકાત્મતા સાથે સુમેળ સાધતી સાહિત્યોપાસના દ્વારા એમણે સમાજને અનેકવિધ સાહિત્યના સર્જનની નોંધપાત્ર પ્રમાણમાં ભેટ આપી છે, જેમાં ગણનાપાત્ર લેખી શકાય એવાં સામયિક “જૈન”, “આત્માનંદ પ્રકાશ”, “શિક્ષણ-પત્રિકા” વગેરેને સમાવેશ થાય છે. વળી અન્ય અનેકવિધ પ્રકાશને દ્વારા પણ એમણે સંખ્યાબંધ વાર્તાઓ અને લેખે આલેખ્યાં હતાં.
સ્વ. શ્રી મનસુખભાઈ મહેતાની સાહિત્યસાધના માત્ર જૈનધર્મ કે સમાજ પૂરતી જ મર્યાદિત ન હતી પરંતુ એ વ્યાપક માનવધર્મપ્રેરિત પણ હતી. “આપણે સૌ સાચા માનવી બનીએ”ને સૂર પ્રધાનપણે એમની સાહિત્યકૃતિઓમાં ધ્વનિત થતો હતો, એટલે એમની કૃતિઓ સૌ કોઈને માટે સત્ય, સદાચાર, શીલ, સાધના, પ્રામાણિકતા અને તપની પ્રેરક હેઈ, સ્વાભાવિકપણે જ “અમૃતના આચમન” જેટલી પાવનકારી અને કલ્યાણકારી બની રહી છે.
અમો દિલા રંગમો તો શ્રી દશવૈકાલિક સૂત્રમાં આવેલ આ સૂત્રને સુમધુર રીતે વહેતા પ્રવાહમાં તાણાવાણાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org