SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૩૪૩ ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા તથા ધર્મકિયાના યથાયોગ્ય આચરણ દ્વારા તેઓનું જીવન આરાધનાથી સભર બન્યું હતું. કેઈપણ પ્રકારની નામના-કીર્તિને મોહ સિવાય ગુપ્તદાન વગેરેમાં તેઓશ્રીની પ્રવૃત્તિ અનુમોદનીય હતી. પ. પૂ. શાસન-પ્રભાવક પ્રૌઢ પ્રતિભાસંપન્ન વૈયાકરણકેસરી સ. પૂ. આચાર્યદેવશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.શ્રીના પરમ વિનય વિદ્વયં પ્રવચનદક્ષ મુનિવર્ય શ્રી અભ્યદયસાગરજી મ. તથા તપસ્વીરત્ન મુનિરાજ શ્રી નવરત્નસાગરજી મ.શ્રી આદિઠાજીનું ચાતુર્માસ સં. ૨૦૧૯ની સાલમાં અમદાવાદ જૈન સોસાયટીમાં થયું ત્યારે તેઓશ્રીની પ્રેરણાથી શ્રી મનુભાઈ એ શ્રાવકચિત બાર વ્રત તથા નિયમે ગ્રહણ કર્યા હતાં અને સુંદર રીતિએ પાલન કરી રહ્યા હતા. શ્રી નાગેશ્વર તીર્થના વહીવટમાં સારે ભાગ લીધો હતો અને તીર્થના ટ્રસ્ટી તરીકે સારી સેવા કરી હતી. અન્ય તીર્થોમાં પણ યથાશક્તિ દ્રવ્યનો વ્યય કરી જીવન ધન્ય બનાવ્યું હતું. - શ્રી પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં પૂ. ગુરુદેવ મુનિરાજશ્રી અભ્યદયસાગરજી મહારાજના શ્રીમુખથી “પવિત્ર શ્રી ગણધરવાદ”નું શ્રવણ કરી સાંજે નિશા પળમાં આવેલ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવંતના ભાવપૂર્વક દર્શન કર્યા ત્યારે ક્યાંથી ખબર હોય કે આ અંતિમ દર્શન હશે ! દર્શન કરી પિળના નાકે આવતાં જ ઢળી પડ્યા. નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં તેમનો અમર આત્મા પલેકના પંથે પ્રયાણ કરી ગયે. જગતના ચોકમાં જે જન્મે છે તે અવશ્ય મૃત્યુને વરે છે, પણ તેનું જ જીવન સાર્થક ગણાય છે કે જે જીવનમાં ધર્મનું આચરણ કરી જીવનને પવિત્ર બનાવે છે. શેઠશ્રી મનુભાઈ પણ આવા પ્રકારનું ઉચ્ચ જીવન જીવી જીવનને બનાવી ગયા. તેઓશ્રીને આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ મળે એ જ એક અભ્યર્થના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy