SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો બેટાદમાં માધ્યમિક તથા મહાશાળામાં પ્રથમ આવનારને પુસ્તક, ચંદ્રક તથા રોકડ રકમનાં નામે, જી.સી. વસાણું સસ્તુ અનાજ કેન્દ્ર; જેન ઉદ્યોગગૃહમાં જી.સી. વસાણી બેક્ષ વિભાગ, જેન એજ્યુકેશન સાયટીમાં દર વરસે એક વિદ્યાર્થીને કેલરશિપની સહાય. અનેકવિધ ક્ષેત્રમાં જેવા કે સામાજિક, વૈદ્યકીય, કેળવણી, ધાર્મિક અને માનવ રાહત વિ. માં સ્વ. મનસુખભાઈએ નામ અને કીતિની અપેક્ષા રાખ્યા વગર દાનને પ્રવાહ વધુ પ્રમાણમાં વહાવ્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં તેમના સ્મરણાર્થે રૂપિયા ૨,૫૦,૦૦૦ જેવી રકમ તેમના પુત્રો તરફથી વાપરવામાં આવેલ છે. એમના પગલે પગલે ચાલે તેવા એમના ચાર પુત્રો શ્રી ચંદુભાઈ, શ્રી અનુભાઈ) શ્રી નિરંજનભાઈ અને શ્રી સુરેશભાઈ એમનાં અધૂરા કાર્યોને અવશ્ય પૂરાં કરશે અને આગળ ધપાવશે તેવી શ્રદ્ધા રાખવી અસ્થાને નથી. આવા કર્તવ્યમૂર્તિ સ્વ. શ્રી મનસુખભાઈ વસાણીને હાર્દિક શ્રદ્ધાંજલિ. સ્વ. શ્રી મનુભાઈ જેસીંગભાઈ ઉદારચરિત શેઠશ્રી મનુભાઈનો જન્મ સંવત ૧૯૬૮ના કારતક વદ ના શુભ દિને થયેલ હતું. માતાપિતાના વારસામાં મળેલા સુસંસ્કારને લીધે તેઓશ્રીનું જીવન બાલ્યવયથી જ ધર્માનુરાગિતા, દાનપ્રિયતા વગેરે ગુણેથી સભર બન્યું હતું. વિકટ સંગેમાં પણ જરા પણ મૂંઝાયા સિવાય તેઓ પિતાના કાર્યમાં કુનેહભરી રીતે સફળતા મેળવતા, સાથે સાથે કષાયથી પરાધીન ન બનતાં અને વાદવિવાદમાં પણ કદાપિ ભાષાને સંયમ ન ખેતાં વિચારપૂર્ણ અને હિતકારી જવાબ આપી સામી વ્યક્તિનું દિલ જીતવામાં તેઓશ્રીએ નિપુણતા પ્રાપ્ત કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy