________________
અભિવાદન થ]
[ ૩૪૧ લડાઈનું વાતાવરણ હતું. મોટા ભાગના લેકે મુંબઈ છોડી દેશમાં જતા હતા ત્યારે મનસુખભાઈની નીડરતાએ અને દુરંદેશીએ તેમને યારી આપી. એમણે ફેર્ટમાં દાદાભાઈ નવરોજી રોડ ઉપર એક મેટી દુકાન ખરીદી અને વસાણું કલોથ સ્ટાર્સને નામે કામ શરૂ કર્યું. સમય જતાં આ સ્ટોરે ખૂબ મોટા પ્રમાણમાં નામ અને દામ પ્રાપ્ત કર્યા. આજે પણ આ સ્ટોર ધમધોકાર ચાલે છે.
મનુષ્ય યત્ન ઈશ્વર કૃપના નિયમ મુજબ એમના પ્રયત્ન સાથે પુણ્યદયને પણ ઉદય થયે. પુણ્યદયે મનસુખભાઈને ઐશ્વર્ય આપ્યું અને મનસુખભાઈએ યત્કિંચિત સમાજને ચરણે ધરવા માંડયું.
૧૯૯૭માં તેમના પૂ. પિતાશ્રી જેમને સ્વર્ગવાસ થએલે તેમની યાદમાં એક ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા તેમણે અનેકવિધ સેવાનાં કાર્યો કર્યા છે, જેની વિગત નીચે મુજબ છે:
જે. જે. હોસ્પિટલમાં અપગને હુન્નર શીખવવાના વિભાગને અનુદાન કર્યું. જેન કિલનિક, બેરીવલીમાં ઈ. એન. ટી. વિભાગ એમની સ્વ. પુત્રી પુષ્પાબેનને નામે શરૂ કરાવ્યો. હરકિશનદાસ હોસ્પિટલમાં વસાણીના નામે રીહેબિલીટેશન વિભાગની શરૂઆત કરાવી. લાયન્સ કલબ ઓફ અંધેરીના ઉપક્રમે વસાણી ડાયાગ્નેસ્ટિક સેન્ટરની શરૂઆત કરાવી. બોટાદમાં માતુશ્રી મણિબાઈ વસાણી સાર્વજનિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત કરાવી. બેટાદમાં કાયમી જીવદયા માનવરાહત સંસ્થાની શરૂઆત કરી, જ્યાં જરૂરીઆતવાળાને નિયમિત રોટલા અને શાક પીરસાય છે.
- હરગેવિંદદાસ વસાણી બીમાર રાહત સમિતિ વિભાગના ઉપક્રમે બીમારને વિનામૂલ્ય દવાઓ અપાય છે. સેનાવાલા હોસ્પિટલમાં તેમનાં સ્વ. પુત્રી પુષ્પાબેન વસાણીના નામને એકસ-રે વિભાગ શરૂ કરવામાં આવેલ છે.
બોટાદકર કોલેજ તથા ઝમરાળામાં બુક બેન્કની શરૂઆત કરાવી છે. વસાણી જેન આયંબીલ શાળા, બેટાદના વિદ્યાર્થીઓને ઓલરશિપ, વગેરેમાં પણ તેમનું યોગદાન છે. છે. ૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org