SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ] શ્રી મનસુખભાઈ ગીરધરલાલ જેમના સ્વભાવમાં સમાજ માટે કાંઇક સારું કરવાની (કરી છૂટવાની) તાલાવેલી હતી એવા સફળ શ્રેષ્ઠી, ઉદાર દાતા, સમાજસેવાના સિદ્ધાંતને જીવનમાં પ્રેમ અને આનંદથી વણી લેનાર બેટાદના વતની શ્રી મનસુખલાલ ગીરધરલાલ વસાણી ૭૯ વષઁની વયે ટૂંકી માંદગી બાદ તા. ૧૧–૧––૧૯૮૭ના રાજ સતિને પામ્યા છે. [ આપણા શ્રેષ્ઠીવર્યા વસાણી બેટાદના રાજવૈદ્ય ગણાતા સ્વ. પૂ. ગીરધરબાપાને ત્યાં સંવત ૧૯૬૫ના ચૈત્ર સુદ ૧૩ના રોજ આણંદપુર મુકામે તેમને જન્મ થયેલેા. માત્ર બે વર્ષની બાળવયે માતાનુ સુખ ગુમાવેલુ. એમની પૂરતી સારસંભાળ લઈ શકે તેવુ કાઇ ન રહ્યું હેાવાથી શરૂઆતના અભ્યાસ તેમના મેસાળ આણંદપુરમાં કરેલ અને ત્યારબાદ લીંબડી એડિગમાં તેમને ભણવા મૂકેલ. મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હાવાના કારણે ૧૭ વર્ષની ઉંમરે અભ્યાસ છોડી, તેમના કાકા શ્રી હરગોવિંદભાઈ વસાણીને ત્યાં મુંબઈ આવ્યા. અભ્યાસ સમયના તેમના સાથી શ્રી કાંતિલાલભાઈ ગાંધી અને જાણીતા તત્ત્વચિંતક, કેળવણીકાર, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન સાહિત્યના વિષયમાં પીએચ.ડી થયેલા પ્રેા, અમૃતલાલ સવચંદ ગેાપાણી હતા. મુંબઈ આવ્યા ત્યારે સાધન અને અનુભવને અભાવ હતા; પરંતુ જીવન સામે ઝઝૂમવાની ધગશ હતી. ધધંધાકીય શરૂઆત ખારાકૂવા પાસે ફેરીથી કરી. ફેરી કરવામાં અને મહેનત કરવામાં એમને જરા ય શરમ ન હતી એટલે મહેનતના સદ્ગુણે એમને સફળતાના રાહુ બતાવ્યા. ધીરે ધીરે એમના વેપાર અને વિશ્વાસ વધતા ચાલ્યા અને ૧૯૨૭ના વર્ષમાં બેરીંદર જેવા સુંદર લત્તામાં વસાણી એન્ડ કુાં.ના નામે કાપડની દુકાની શરૂઆત કરી. આ તેમની સફળતાનું પ્રથમ સેાપાન હતું. પ્રમાણિકપણે કરેલી મહેનત ફળ્યા વગર રહેતી નથી. ૧૯૪૨ના સમય દરમ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy