SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો મહારાજ સાહેબે કરાવેલ. તે દેરાસરને ફરી જીર્ણોદ્ધાર ચોપાટી જૈન સંઘ તેમ જ મુંબઈના કેટલાક સંઘ અને જામનગર શેઠજી દેરાસરના પૂર્ણ સગથી કુંભ-પ્રતિષ્ઠા ભારે ધામધૂમથી કરવામાં આવી. શ્રી આ. દેવશ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ સાહેબે એક પ્રસંગે દેરાસર ઉપાશ્રય બનાવવા શ્રી મનસુખભાઈને પ્રેરણું કરી ત્યારે એ પ્રેરણાને શ્રી મનસુખભાઈ એ સહર્ષ ઝીલી લીધી હતી. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મનસુખભાઈ તેમ જ કાલાવડના સંઘને દેરાસરની જરૂરિયાત માટે ઉપદેશ આપેલ એ ઉપદેશની લોકેને સારી અસર થઈ અને એ દેરાસરની શુભ શરૂઆત પૂજ્ય મુનિવર્ય શ્રી પ્રભાકરવિજયજીના શુભ હસ્તે સાતેક વર્ષ પહેલાં થયેલ. ધર્મપ્રેમી શ્રી મનસુખભાઈએ કાલાવડના એ ભવ્ય જૈન મંદિર માટે ભારે જહેમત ઉઠાવી હતી. સરળ અને નિખાલસ સ્વભાવના શ્રી મનસુખભાઈએ જામનગર શેઠજી જૈન દેરાસર, ચપટી જેન સંઘ, શ્રી વાલકેશ્વર બાબુ પન્નાલાલ અમીચંદ જૈન દેરાસર, સુપાર્શ્વનાથ જૈન દેરાસર, સાયન જૈન સંઘ, સુદાન જૈન સંઘ, વગેરે સંઘ તરફથી મટી રકમ મેળવી–અપાવી કામ પાર પાડયું અને પોતે યશના અધિકારી બન્યા. આ દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવનાર ભાગ્યશાળીઓ શ્રી રજનીકાન્ત મેહનલાલ કસ્તુરચંદ ઝવેરી, રતીલાલ ધનજીભાઈ વોરા પરિવાર, મનસુખલાલ ધનજીભાઈ વોરા પરિવાર, વગેરે ભાગ્યશાળીઓએ લાભ લીધેલ. શ્રી મનસુખભાઈના પરિચયમાં એ પણ જોવા મળ્યું કે તેમનામાં જે તે વિષયનું તલસ્પર્શી જ્ઞાન, સંસ્થાઓનું કુનેહભર્યું સંચાલન, ઊંડી સમજદારી. યુગબળનું સ્વદર્શન એમની અનેકવિધ પ્રવૃત્તિઓની સફળતાનાં પૂરક અંગો બન્યાં છે. વ્યાપાર વિષયક પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ અને ધર્મને જરા પણ વીસર્યા નથી. ઘણી બધી સંસ્થાઓને તેમના કુશળ અને નેહભર્યા સંચાલનનો અમૂલે લાભ મળે છે અને કાર્યની વધુ સંગીનતા લાધી છે. કાલાવડના જ્ઞાનભંડાર અને વાચનાલયમાં પણ એમની સીધી દેખરેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy