________________
૩૩૮ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી ભોગીલાલ કેકચંદ શાહ સાહસ વિના સિદ્ધિ નથી.” એ જીવનમંત્રને પિતાના જીવનમાં ઉતારનાર શેઠશ્રી ભેગીલાલભાઈએ માત્ર ૧૩ વર્ષની વયે અભ્યાસ મૂકી વિચક્ષણ બુદ્ધિમતાથી મુંબઈ આવી વેપારની શરૂઆત કરી. ૨૫ વર્ષ પછી તેઓ ગેડીજી જૈન બોર્ડિગના પ્રમુખ બન્યા. પિતાની કુનેહ તેમ જ નીતિમત્તાને કારણે મેટલના વેપારમાં તેઓ આગળ વધ્યા.
સાબરકાંઠા જિલ્લાના આગલોડના આ અંગ્રેજી ત્રણ ચેપડી ભણેલા કુશળ વેપારી એલ્યુમિનિયમ મરચન્ટ એસોસિયેશનના માનદ ખજાનચી બન્યા. તેઓની ચીવટ અને નમૂનેદાર કાર્યક્ષમતાના લીધે જ આગલોડ જૈન સંઘના ૧૩ વર્ષ સુધી ટ્રસ્ટી રહ્યા. જૈન દેરાસરો તથા માણીભદ્ર તીર્થની પ્રગતિ માટે સારે એ ફાળો એકઠે કરવામાં ભેગીલાલભાઈ એ સારી એવી જહેમત ઉઠાવી છે.
૨૦૦૮માં મૂળનાયક સુમતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી ધર્મમય જીવનનું દૃષ્ટાંત એમણે પૂરું પાડયું. કેળવણી ક્ષેત્રે પણ એમનું અપાર મમત્વ હતું જેની ફળશ્રુતિરૂપે તેમણે શ્રી કાંઠા સત્તાવીસ વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિનાં બાળકે માટે ફંડફાળે જાતે આપી અન્ય ભાઈઓને સહકાર મેળવી મજબૂત અને પગભર સંસ્થા ઊભી કરી.
તેમનાં પત્ની શ્રીમતી સુભદ્રાબેન પણ ધર્મપરાયણ તેમ જ પરોપકારી ઉદાત્ત સ્વભાવનાં છે.
શ્રી મનસુખલાલ કલ્યાણજી શાહ મહુવા પાસેના બરડા ગામના વતની શ્રી મનસુખલાલ કલ્યાણજી શાહ ૪૯ વર્ષની ઉંમરના છે. બી. કેમ. સુધીના અભ્યાસ બાદ ૧૯૫૩માં મુંબઈ આવ્યા અને શરૂઆતનાં બે વર્ષ નેકરી કરી અનુભવ મેળવ્યું. પણ સાહસિક વેપારી જીવનને નોકરીમાં જગ્યું નહીં તેથી લોખંડના ધંધામાં ઝંપલાવ્યું અને તેમાં સફળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org