________________
અભિવાદન ]
[ ૩૩૭ જે શેઠે તેમને રૂપિયા પચીસ હજાર વેપાર અથે ધીરેલા તેમને વ્યાજ સહિત ચેક લખી પાછા આપવા તેઓ અમદાવાદ ગયા ત્યારે એ શેઠ તેમને પ્રેમપૂર્વક ભેટી પડ્યા. ભૂધરભાઈએ પેલે ચેક તેમના હાથમાં મૂક્યો ત્યારે ગળગળા થઈ શેઠ બોલ્યા : ભૂધરભાઈ! મને તમારાથી જુદે ગયે? એમ કહી હસતાં હસતાં શેઠે ચેક ફાડી નાખ્યો. શેઠની ઉદારતાથી અહભાવ પામી તેઓ મુંબઈ પાછા ફર્યા.
કામની ખંત, પૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને દેનાર ઈશ્વર છે એ ભાવના તથા પિતાની પાસે કાંઈ લેવા આવેલી કઈ વ્યક્તિ ખાલી હાથે પાછી ન જાય એવી દાનશીલતાથી તેમણે વેપારી આલમમાં વિશ્વાસ અને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા છે.
તેઓશ્રી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે. બૃહદ્ મુંબઈ શિહોર સં. ઔ. અગ્યારસો બ્રાહ્મણ સમાજના સ્થાપક અને પ્રમુખ, અ. ભા. વ. બ્રહ્મસમાજ, મુંબઈના પ્રમુખ શ્રી નર્મદાશંકર હ. જોષી છાત્રાલય, મુંબઈના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગોદાવરીબા અને માણેકબા ઔ. મહિલા છાત્રાલય, ભાવનગરના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી આર. જે. જેથી કોલેજ હેરિટેલ, ભાવનગરના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી જે. બી. પંડ્યા છાત્રાલય-શિહેરના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી મેંઘીબા રામનાથ દવે ગર્લ્સ હાઈસ્કૂલ વલભીપુરના સ્થાપક પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી, ન્યૂ. આઈ. કે. એચ. ગુજરાત વિદ્યાલયના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી. આ સંસ્થાને પિતાના પિતાશ્રીના નામે દાન આપેલ છે.
વિદ્યાપ્રાપ્તિ તથા વિદ્યાદાન, ધનપ્રાપ્તિ અને ધનદાન કરી શ્રી ભૂધરભાઈ બ્રાહ્મણ જ્ઞાતિના એક સાચા નરરત્ન બન્યા છે. સ્વહસ્તે કરેલ દાનની જાહેરાતના તેઓશ્રી અનિચ્છુક રહ્યા છે.
છે ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org