________________
૩૩૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યાં
સ્કોલરશિપ મેળવેલી તે જવાબદારી ઉઠાવવા પોતે
રાજકોટની ટ્રેનિંગ દરમિયાન જે સરકારમાં ભરી દઈ ભરણ પાષણની પૂરી વલભીપુરની સરકારી નોકરી છેડી દઈ અમદાવાદ પહોંચ્યા અને ગુજરાત વિદ્યાપીઠની પ્રાથમિક શિક્ષકાને તાલીમ આપતી નવી ગુજરાતી શાળા ( રાષ્ટ્રીય શાળા )માં શિક્ષક તરીકે નેડાયા. આ શાળામાં તેમણે ખંત અને પ્રામાણિકતાથી અગિયાર વર્ષ કામ કર્યું. દરમિયાનમાં એક સારા ધનવાન કુટુબમાં તેમને યૂન આપવાનું કામ મળ્યું. અહીંનુ કૌટુમ્બિક જીવન વલભીપુર કરતાં મોંધુ હતું એટલે વધુ સારી આર્થિક સ્થિતિ પ્રાપ્ત કરવાની જરૂર હતી. નોકરી દરમિયાન તેમના મનમાં · વ્યાપારે વસતિ લક્ષ્મી ’—એ ઉક્તિ પ્રમાણે વિચારે અવારનવાર ઊઠતા હતા; પરંતુ વેપારમાં રોકવા જેટલી મૂડી ન હોવાથી તે મેટી મૂંઝવણમાં પડચા. છેવટે મન મક્કમ કરી પોતાનું ટયૂશન રાખનાર શેઠ પાસે અચકાતાં અચકાતાં વિચાર રજૂ કર્યાં. કામ કરવાની ખત, સનિષ્ઠા અને પ્રમાણિકતાના ભૂધરભાઈના ગુણેથી શેઠે પ્રથમથી જ પ્રભાવિત હતા એટલે ખીન્નુ કાંઇ ન પૂછતાં ફક્ત કેટલી રકમ જોઈશે એટલા જ એક પ્રશ્ન કર્યા. ભૂધરભાઈ એ પચીશ હજારની વાત કરી અને શેઠે તરત જ એટલી રકમના ચેક લખી આપ્યા. આમ એક મેટી મુશ્કેલી પાર પડી અને તેમના પગમાં વિશેષ જોર આવ્યુ. સન ૧૯૪૨માં અમદાવાદની નેકરી મૂકી દીધી અને મુંબઈમાં વેપાર અર્થે આવ્યા. પેાતાના એક નજીકના સગા સાથે ભાગીદારીમાં રંગ-રસાયણના વેપારનું કામકાજ શરૂ કર્યું. ત્રણ વર્ષ પછી કાંઇક સ્થિર થયા. સન ૧૯૪૫માં પરિવારને મુંબઈ મેલાવી લઈ સ્થાયી વસવાટ શરૂ કર્યા; પણ હજી વિપત્તિઓએ તેમના કેડા મૂકયો ન હતા. ભાગીદારીની અણુ-આવડતને કારણે કેટલીયે વિટબણાઓના સામના કરવા પડયો અને છેવટે પેાતાને સ્વતંત્ર ધંધા શરૂ કર્યો.
શરૂઆતમાં જર્મની અને સ્વિટઝલેન્ડનાં રંગ-રસાયણાના વેપાર કર્યો. બીજા જર્મન યુદ્ધ પછી અન્ય દેશા સાથે વેપારી સબધા જોડી આજ સુધી પોતાના ધંધા આગળ ધપાવી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org