________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૩પ
શ્રી ભૂધરભાઈ રામનાથ દવે
પાત્રત્વાત્ ધનમતિ
ધનાદ્ધ તતઃ સુખમ” શ્રી શિહેર સમ્પ્રદાય ઔદિચ્ય અગ્યાર બ્રાહ્મણ જ્ઞાતિના આ નરરત્નને જન્મ સૌરાષ્ટ્રના વલભીપુરમાં તા. ૨૦-૪-૧૯૧૧માં થયે હતો. પ્રાથમિક સાત ધોરણનો અભ્યાસ વલભીપુરની સરકારી શાળામાં થયે.
પિતાશ્રી વલભીપુર દરબારના રાજ્ય-તિષી અને કર્મકાંડી હતા. જીવનમાં અનેકવાર નાનીમોટી વિપત્તિઓને સામને તેમને કરે પડ્યો છે. સાત વર્ષની નાની ઉંમરે તેમણે પિતાનું શિરછત્ર ગુમાવ્યું. ત્યારથી પરિવારને પૈસેટકે ઘણી તંગી વેઠવી પડી હતી. માતાએ પેટે પાટા બાંધીને પિતાના બે દીકરાઓને ભણવ્યા. અને ભાઈઓને હાઈસ્કૂલમાં ભણાવી શકાય એવી આર્થિક હાલત ન હતી એટલે મોટાભાઈ અંગ્રેજી અભ્યાસ કરી આગળ વધે તે માટે શ્રી ભૂધરભાઈએ ઓછામાં ઓછા ખર્ચે વ્યાવસાયિક શિક્ષણ મેળવવા રાજકોટની હંટર ટ્રેનિંગ કેલેજની પ્રવેશક પરીક્ષા માટે ખંતથી અભ્યાસ શરૂ કર્યો અને પ્રથમના ત્રીશ વિદ્યાર્થીઓમાં ગુણાંક મેળવી માસિક બાર રૂપિયાની છાત્રવૃત્તિ (સ્કોલરશિપ)થી સેળ વર્ષની ઉપર પૂરી થતાં સન ૧૯૨૭માં શિક્ષણ વિષયક તાલીમ માટે દાખલ થયા અને લગાતાર ત્રણે વર્ષ આગળ ને આગળ વધતા રહી સન ૧૯૨લ્માં ત્રીજા વર્ષની ટ્રેનિંગ પૂરી કરી માસિક પચીસ રૂપિયાના પગારથી વલભીપુરની સરકારી શાળામાં શિક્ષક તરીકે જોડાયા.
મોટાભાઈ ભાવનગરની હાઈસ્કૂલમાં ભણીગણીને મેટ્રિક થાય ત્યાં સુધી પિતાની ટૂંકી આવકમાં ઘરનું ગાડું ચલાવવું; પછી બન્ને ભાઈઓ કમાતા થઈએ એટલે આર્થિક મુશ્કેલી રહેશે નહિ–એવી તેમની આશા પાર ન પડી. જીવનની આ એક બીજી મુશ્કેલી હતી. મોટાભાઈ અભ્યાસમાં આગળ વધી શક્યા નહિ એટલે કુટુંબને સમગ્ર બેજ ભૂધરભાઈને શિરે આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org