SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૩૩ શ્રી બાપાલાલ અમૂલખભાઈ ઝોટા માનવના ઔદાર્યની ઓળખ તેમને પ્રથમ મળતાં જ થઈ જાય છે. શ્રી બાપાલાલભાઈ પણ આવા જ એક સમાજસેવાનાં, ધર્મના અને માનવતાનાં કાર્યોમાં હંમેશાં ઉપયોગી બનતા રહ્યા છે. ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લે તેમાં સાંતલપુર તાલુકાનું હેડક્વાર્ટર વારાહી–જે આજે કંડલા-ડીસા લાઈનમાં રેલવે સ્ટેશન છે. પાલનપુરથી કચ્છમાં ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ જતાં નેશનલ હાઈવે ઉપર આવેલું રમણીય સ્થળ છે. પ્રથમ વારાહી રાજકોટ એજન્સી નીચે હતું ત્યારે ત્યાંના તાલુકાદારોને કારભારી તરીકે ઝટા કુટુંબ હતું–જે ધર્મ અને વ્યવહારમાં યશકીતિને વરેલું હતું. વારાહીમાં શ્રી બાપાલાલભાઈના પિતાશ્રી અમૂલખભાઈ ખૂબ જ ધર્મનિષ્ઠ, પ્રેમાળ, પરગજુ અને ઉદાર વૃત્તિવાળા હતા. ગામના આગેવાન હતા. મોટાભાઈ શ્રી ચીમનભાઈ પણ ખૂબ જ સેવાપ્રિય અને ધાર્મિક કાર્યોમાં રસ ધરાવનાર હતા. સ્વ. પૂજ્ય વિકાસચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ, તેઓશ્રી શ્રી અમૂલખભાઈનાં બહેન પાર્વતીબહેનના સુપુત્ર થાય, જે તેમના સંસારી સગા ભાણેજ હતા. શ્રી બાપાલાલભાઈનાં ત્રણ બહેને જાસૂદબેન, મધુબહેન અને શાંતાબહેન ખૂબ જ રસુખી છે. તેમનાં ધર્મપત્ની સૌ. બકુલાબહેન પણ ગુણાનુરાગી અને પરગજુ છે. બાળકે અજિતકુમાર બી. કેમ; નરેન્દ્રકુમાર બી.એસસી, જયશ્રીબહેન બી.એસસી; શિલપાબહેન બી. કેમ ચારે સુસંસ્કાર ધરાવે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવાને ભાગ્યશાળી બન્યાં છે. શ્રી બાપાલાલભાઈ એ સારાયે ભારતને અને સારાયે વિશ્વને પ્રવાસ ખેડ્યો છે. અનેક નાનામોટા માણસેના સંપર્ક અને સંસર્ગમાં આવ્યા છે. એમની રખરખાવટ ખૂબ જ પ્રશંસનીય છે. એકવાર પરિચય થયા પછી કાયમ માટે સંબંધ જાળવી રાખવામાં માને છે. ધંધાથે ઘણે પ્રવાસ ખેડ્યો, પરદેશની વર્લ્ડ ફેમસ એ.એમ.સી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy