________________
૩૩૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો કર્યો. સેરીસા અને તળાજાની જોન ભોજનશાળાઓ જેની સ્થાપના પિતાશ્રીએ કરેલી એ સંસ્થાઓને સતત માર્ગદર્શન આપી તેના સંચાલનમાં પૂરે રસ દાખવીને જીવનના છેલ્લા શ્વાસ સુધી સંસ્થાઓની સેવા બજાવી. વતન ગેરીતામાં જૈન દેરાસરનું કાર્ય પણ રસપૂર્વક છેવટ સુધી કરતા રહ્યા.
શ્રી બાબુભાઈના જીવનની ફલશ્રુતિમાં મહત્ત્વનું કામ એ થયું ગણાય કે શ્રી શેરીસા જૈન તીર્થમાં ભેજનશાળાની પિતાશ્રીએ કરેલી
સ્થાપના પછી ભોજનશાળા પેટમાં ગયા પછી પણ સંસ્થાને વહીવટ પિતાના હાથમાં લીધો. પચીશ હજારની ખોટ સાથે મંત્રી તરીકે વહીવટ સંભાળ્યો. પંદર વર્ષ એકધારી સેવા આપીને તેઓ ગયા ત્યારે તેમના હસ્તક ભેજનશાળાનું કાયમી ફંડ રૂપિયા ચાર લાખ તરતું કરીને ગયા. આ એમની સેવાને અનન્ય પુરાવો છે.
ચોગરદમ વિશાળ સનેહીવર્ગમાં સુવાસ પ્રસરાવી તા. ૧-૧૨-૮૩ના રાજ સંવત ૨૦૪૦ કારતક વદ ૧૨ ગુરુવારે તેઓ સ્વર્ગવાસી બન્યા.
શ્રી શેરીસા જૈન ભેજનશાળામાં ૩૩ વર્ષ સુધી કમિટીના સભ્ય તરીકે રહીને તેની સેવા બજાવી છે. તેમ જ છેલ્લાં પંદર વર્ષ તેમણે મંત્રી અને સેક્રેટરી તરીકે ફરજ બજાવી છે. શ્રી શેરીસા જૈન ભેજનશાળા એક જ એવી સંસ્થા છે કે આણંદજી કલ્યાણજીનાં તમામ તીર્થોના વહીવટમાં જે પેઢી સિવાય ભેજનશાળાનું અલગ સંચાલન થતું હોય અને તે રીતે અલગ સંચાલનને વહીવટ એ પણ એક નમૂનારૂપ આદર્શ વહીવટ છે તે તેનું જવલંત ઉદાહરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org