________________
અભિવાદનગ્રંથ !
[ ૨૫ * કાબુલમાં વેપારી પેઢીને વિસ્તાર કરનાર : ઈ. સ. ૧૮૮૫માં એક લાખની મદદ આપીને કાબુલમાં શેઠ રતનજી કાત્રક અને શેઠ બહેરામજીએ અમીર અબ્દુલ રહેમાન પાસેથી પેઢી સ્થાપવાની પરવાનગી મેળવી.
* મુંબઈથી ખાલી સુધીની રેલવે તૈયાર કરનાર : પારસી ઈજનેર ખરશેદજી રૂસ્તમજીએ જી. આઈ.પી.ની રેલવે નાખી.
* ઈ. સ. ૧૮૫૦માં બેજનજી કેટવાલે “પરહેજગાર” નામનું દારૂ નિષેધ અંગેનું પહેલું સામયિક સુરતથી પ્રસિદ્ધ કર્યું.
* ઈ. સ. ૧૯૨૩માં સાયકલ પર પૃથ્વીપ્રદક્ષિણા કરવા માટે છ પારસી યુવાને નીકળ્યા હતા, જેમાંથી ત્રણ જણેએ આ પરકમ સફળતાપૂર્વક પાર પાડી.
(૧) જાલ બાપાલા (૨) અદી હકીમ (૩) રૂસ્તમ ભમગરા.
(આ સિવાયના ત્રણમાં ગુસ્તાદ હાથીરામ, કેકી પિચખાનાવાલા તથા નરીમાન કાપડિયા હતા.)
આ સાહસવીરેએ પૃથ્વીપ્રદક્ષિણ ૪ વર્ષ, ૫ મહિના અને ત્રણ દિવસમાં કરી હતી. ૪૪૦૦૦ માઈલને આ પ્રવાસમાં આ પ્રવાસવીરેએ પ્રથમવાર કેરિયા વધીને પ્રવાસ કર્યો, પહેલીવાર પર્શિયા, મેટ, સીરિયા અને સીનિયાનું રણ વટાવ્યું, ૧૬ કલાકમાં ૧૭૧ માઈલ સાયકલ ચલાવવાને વિશ્વવિકમ સ્થા, અને ૩૯ દેશોમાંથી પસાર થયા. * “રેયેલ લંડન સોસાયટી ઓફ સાયન્સના પ્રથમ સભ્ય :
' અરદેશર કરતજી વાડિયા. મુંબઈમાં સૌ પ્રથમવાર ગેસના દીવા પટાવનાર, ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે આગબોટ બાંધી આપનાર, પહેલીવાર આગબેટમાં વરાળયંત્રની ગેઠવણ કરનાર, કૂવા પર પંપ મૂકીને કૃષિ કરનાર સુરતના વતની શ્રી વાડિયા “રેયેલ લંડન સાયટી ઓફ સાયન્સના પ્રથમ ગુજરાતી–પ્રથમ ભારતીય સભ્ય થવાનું બહુમાન પામ્યા હતા. આ સભ્યપદ તેઓશ્રીને ઈ. સ. ૧૮૯૧માં મળ્યું હતું. છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org