________________
૩૧૮ |
[ આપણા શ્રેષ્ઠીવર્યો મહાવીર જૈન વિદ્યાલયમાં સ્કોલર તરીકે રહે એવી વ્યવસ્થા કરી છે. ઈ. સ. ૧૯૪૦માં સૌરાષ્ટ્ર વીશાશ્રીમાળી જેન જ્ઞાતિનું સંમેલન જૂનાગઢ મુકામે ભરવામાં આવ્યું હતું, ત્યારે અધ્યક્ષપદે શ્રી ફૂલચંદભાઈની વરણી કરવામાં આવી હતી.
શ્રી ફૂલચંદભાઈને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓનો પરિવાર છે. શ્રી ફૂલચંદભાઈ તા. ૩૧-૧–૧૯૮૬ના રોજ સ્વર્ગવાસી થયા છે. તેઓએ દેવલાલીમાં શ્રી વર્ધમાન મહાવીર સેવા કેન્દ્રમાં સારી સેવા આપી છે. તેમ જ દેવલાલીમાં શ્રી પાર્વતીબહેન ફૂલચંદ લીલાધર રુગ્ણાલય બનાવેલ છે. બીજુ, દેવલાલીમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાયમંદિરમાં બહેનને આશ્રમ (ધર્મશાળા) તથા ભેજનશાળા બનાવી આપેલ છે તેમ જ વવાણિયામાં શ્રીમદ્ રાજચંદ્ર સ્કૂલમાં ફાળો આપ્યો છે. તેમ જ વવાણિયા શ્રીમના આશ્રમમાં તન-મનધનથી સેવા આપી છે.
શ્રી બચુભાઈ પોપટલાલ દોશી મુંબઈ જેવા વૈભવશાળી શહેરમાં છેલ્લાં ૪૦ વર્ષથી તેઓ મિશનરી ભાવનાથી જેન કેળવણી મંડળ તથા અનેક સામાજિક સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. જેને કેળવણી મંડળ, મુંબઈના કાર્યાલય-મંત્રી–મેનેજર છે. ઉપરાંત નીચેની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સૌરાષ્ટ્ર હોસ્ટેલમાનદ સંચાલક, બોટાદ પ્રજામંડળ, મંત્રી, રાણપુર પ્રજામંડળ, મુંબઈ–મંત્રી વિદ્યાભારતી બટાદ, આરોગ્ય ભારતી બેટાદ, અમૃતલાલ શેઠ હોસ્પિટલ, રાણપુર જન્મભૂમિ હાઈસ્કૂલ, રાણપુર; જેન સેશ્યલ ગ્ર૫; ઝાલાવાડ રોડ્યુલ પ્રપ, મુંબઈ શ્રી ૨. વિ. સલિયા થા. જૈન છાત્રાલય–બટાદ; શ્રી ઝાલાવાડી સ્થા. જૈન સભા, મુંબઈ સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, મુંબઈ વિ. સંસ્થાઓ તેમ જ જૈન ધર્મ અને સમાજના વિવિધ પત્ર સાથે સંકળાયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org