________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૧૭ કસ્તુરચંદ અને રવજી ઝવેરચંદ જેવી મોટી પેઢીઓ સાથે સંબંધ બંધાયે. જીવનમાં ચડતી-પડતી આવ્યા જ કરે છે પણ એવા પ્રસંગે જે થિર અને સમતોલ રહી શકે છે તે અવશ્ય આગળ વધી શકે છે. ધંધાની શરૂઆતમાં જ તેઓ પર એક મોટો ફટકે પડ્યો. બેંક ઓફ એબીસીનીઆના કેશિયરના ગોટાળાના કારણે તેમની રૂ. ૮૦,૦૦૦ જેવી મોટી રકમ ગઈ પરંતુ આ કપરા કાળમાંથી પણ તેઓ સુખરૂપ પાર ઊતર્યા. પ્રમાણિકતા, ચીવટ અને કાર્ય કુશળતાના કારણે ત્યાંની એક મેટી કંપની એ. બીસીઝની પસંદગી તેમના ઉપર ઊતરી અને સોલ સેલિંગ કામ તેમને સંપાયું. શ્રી ફૂલચંદભાઈની સિદ્ધિના પાયામાં આ પેઢીને મહત્ત્વને હિસો છે.
એડનની પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યા પછી શ્રી ફૂલચંદભાઈ અને તેમના ત્રણ પુત્રએ મુંબઈમાં સ્થિર થઈ નવા ઉદ્યોગો શરૂ કર્યા છે. માટુંગામાં તેમની માલિકીનાં બે મકાન છે.
સં. ૧૯૭૦માં શ્રી ફૂલચંદભાઈના લગ્ન પાનેલીવાળા શ્રી રૂપશી નથુભાઈ મહેતાની પુત્રી પાર્વતીબહેન સાથે થયા. અઠ્ઠાવીસ વર્ષના સુખી દાંપત્યજીવનને અંતે શ્રી પાર્વતીબહેનના મૃત્યુ પછી તેઓ વાનપ્રસ્થ જીવન ગાળે છે.
સદ્ગત પત્નીના સ્મરણાર્થે મેટી પાનેલીમાં શ્રી પાર્વતીબેન સાર્વજનિક દવાખાનું ચાલે છે. એડનની ગુજરાતી સ્કૂલની સ્થાપનામાં તેમને મહત્ત્વનો ફાળો હતો, અને રૂપિયા ૨૫૦૦૦ જેવી રકમ આપી હતી. શેઠ દેવકરણ મૂલજી સૌરાષ્ટ્ર વીશા શ્રીમાળી જૈન બેડિંગના તેઓ ટ્રસ્ટી હતા અને અવારનવાર આ સંસ્થાને આર્થિક સહાય આપે છે. મહાવીર જૈન વિદ્યાલય તેમ જ અમરેલીનાં શ્રી ખી. મુ. જૈન બોડિ•ગના તેઓ પેટ્રન હતા. મોટી પાનેલીમાં બંધાયેલા મંદિરની જગ્યા ભેટ આપી છે અને એ મંદિરમાં પણ તેઓને મોટો ફળે છે. તેમનાં સગત પુત્રવધૂ સૌ. પ્રભાકુંવરના
મારક રૂપે પાનેલીમાં “પ્રભાકુંવર પ્રાણલાલ વોરા માતુકલ્યાણ બાલમંદિર અને પ્રસૂતિગૃહ” ચાલે છે તેમ જ એક વિદ્યાર્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org