SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્ન થે ] [ ૩૧૦ વિદ્યાથી પ્રત્યે અસીમ પ્રેમ. સંસ્થાઓ પ્રત્યે પ્રેરક કર્તવ્યનિષ્ઠા અને કાર્યશુદ્ધિને લગતા વિરલ ત્રિવેણી સંગમ બચુભાઈ દોશીના જીવનમાં સહજ રીતે સધાયો છે. - રાષ્ટ્ર તરફની પણ ભક્તિ ઓછી નથી કેમકે રાજદ્વારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે મિત્રને અને વડીલોને સારો સહકાર આપે છે. વિદ્યાવ્યાસંગના ક્ષેત્રે તે સેવા આપી છે પણ જૈન ધર્મ અને સમાજક્ષેત્રે પણ સારું પ્રદાન છે. બીજી માર્ચ ૧૯૨૬ના રોજ બે ટાદમાં બચુભાઈ દોશીને જન્મ થયેલ. તેમના પિતાશ્રી પિટલાલ છગનલાલ દેશી શિક્ષક હતા. બચુભાઈનાં માતુશ્રી સમજુબેનનું બચુભાઈ ત્રણ વર્ષના હતા ત્યારે અવસાન થયેલ. મોસાળમાં રહી મેટ્રિક સુધીનો અભ્યાસ બચુભાઈ દોશીએ બોટાદ હાઈસ્કૂલમાં કરેલ. ભાવનગરની શામળદાસ કેલેજમાં અને મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી બી.એ.ની ડિગ્રી મેળવી તુરત જ કેળવણી ક્ષેત્રે સમાજસેવામાં પદાર્પણ કર્યું. મુંબઈને નામાંકિત નાગરિકે તરફથી તેમનો તા. ૮–૧૦–૭રના રેજ સન્માન સમારંભ યોજવામાં આવ્યા હતા. મુનિશ્રી સુશીલકુમાર, ચિત્રભાનુ મહારાજ, શ્રી નવીન મુનિ, શ્રી અમીચંદજી મુનિ. પૂ. વિધી મહાસતીજી વસુબઈ, પૂ. શારદાબાઈ મહાસતીજી વગેરે સાધુ-સાધ્વીઓએ પણ આશીર્વાદ પાઠવ્યા હતા. બચુભાઈ દોશીની ત્રણ દાયકાઓ ઉપરની સમાજસેવામાં પ્રેરણું આપનાર તેમનાં ધર્મપત્ની અ.સૌ. સુભદ્રાબેન પણ આટલા જ યશ અને અભિનંદનના અધિકારી છે. ભાવનગર રાજ્ય વિદ્યાર્થી પરિષદના સહમંત્રી તરીકે તેમ જ સૌરાષ્ટ્ર વિદ્યાર્થી પરિષદના તે વખતના આગેવાન સર્વશ્રી બળવંતરાય મહેતા, ઇંદુલાલ યાજ્ઞિક સાથે વિદ્યાથી કાર્યકર તરીકે સકિય સેવા આપેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy