________________
૩૧૪]
[ આપણું શ્રેષ્ઠીવર્યો પંચ-પ્રતિકમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ, દંડક અને લઘુ સંગ્રહણી આદિ પાયાની વસ્તુઓ કંઠસ્થ કરી લીધી. ત્યાર પછી તેમણે મુનિરાજે આગળ કર્મગ્રંથને અભ્યાસ કર્યો. શ્રી ફતેચંદભાઈના જીવનમાં ધાર્મિક શિક્ષણ અને સાહિત્ય પ્રત્યે જે અસાધારણ પ્રેમ દેખાય છે, તેનાં મૂળ આ રીતે નંખાયાં હતાં.
આજે જેને માધ્યમિક શિક્ષણ કહેવામાં આવે છે, તે શ્રી ફતેહચંદભાઈએ પૂરેપૂરું લીધું છે. સં. ૧૯૫૭ સુધી તેમને વિદ્યાભ્યાસ ચાલુ રહ્યો હતો અને તેઓ મેટ્રિક સુધી પહોંચ્યા હતા. શ્રી ફતેહચંદભાઈનાં લગ્ન જ્યારે તેઓ ચૌદ વર્ષની ઉંમરના હતા અને પાંચમી અંગ્રેજીને અભ્યાસ કરતા હતા ત્યારે વલભીપુરવાળા મહેતા લલ્લુભાઈ કાળીદાસની પુત્રી કસ્તુરીબહેન સાથે થયાં હતાં.
કસ્તુરીબહેન સ્વર્ગે સિધાવતાં કેટલાક વિકટ પ્રસંગને લઈ શ્રી ફતેહચંદભાઈનાં બીજા લગ્ન ભાવનગરી ફેટોગ્રાફર શ્રી પ્રભુદાસ રામચંદ્રની પુત્રી હરકે બહેન સાથે થયાં હતાં. તેમનાથી હિંમતલાલ નામના એક પુત્રરત્નની અને કુસુમ નામની એક પુત્રીરત્નની પ્રાપ્તિ થઈ હતી. તે બનને આજે વિદ્યમાન છે, અને પિતાનાં નેત્ર ઠારી રહેલ છે.
શ્રીમતી હરકેરબહેન મિતભાષી, આતિથ્યપ્રેમી અને ખૂબ શાંત સ્વભાવનાં હતાં. તેઓ પતિની દીર્ઘ સમય સુધી સેવા કરીને સં. ૨૦૧૩ની સાલમાં સ્વર્ગે સિધાવ્યાં.
ફતેહચંદભાઈ વિદ્યાભ્યાસ છોડીને સં. ૧૯૫૭ની સાલમાં દુકાને બેઠા અને ધંધાની તાલીમ લેવા લાગ્યા. જ્યાં બુદ્ધિની ચપળતા છે, કામ કરવાનો ઉત્સાહ છે અને આગળ વધવાની તમન્ના છે ત્યાં કઈ કામ અઘરું કે અશક્ય લાગતું નથી. શ્રી ફતેહચંદભાઈને આ ધંધામાં રસ પડવા લાગ્યો અને શેડા વખતમાં તેની સારી જાણકારી કરી લીધી. પણ એવામાં એક ગમખ્વાર બનાવ બન્યા. ભાવનગરની કાપડ બજારમાં મેટી આગ લાગી અને ઝવેરભાઈ ભાઈચંદની કાપડની દુકાન પણ તેમાં સપડાઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org